________________
[૪]
ઐતિહાસિક પૂજન આપે છે અને મહાત્મા ગાંધીજીએ અહિંસા યાને દયા જેવા અમોઘ ગુણને રાજકારણમાં અપનાવી એ દ્વારા કેવી અપૂર્વતા સિદ્ધ કરી શકાય છે એ સ્વઆચરણથી પુરવાર કરી આપ્યું છે કે જેથી એ સામે મજાક ઉડાવનારાના મુખ સહજ શ્યામ પડી ગયા છે.
જેનધર્મ પાળનારા માત્ર વણિક જ હતા અને તેઓ બીકણ વા ભીરુ હતા, અર્થાત શસ્ત્રો ધારણ કરી જરૂર પડયે શૌર્ય દાખવી શકતા નહોતા.” એવા કેટલાકના પ્રલાપ સામે અહીં મણકારૂપે કેટલાક એતિહાસિક વૃત્તાન્ત રજૂ કરી એ પ્રલાપ કેવા ખોટા અને મેં માથા વિનાના છે એ બતાવવા, તેમજ જૈનધર્મ પાળનાર વર્ગમાં પણ ક્ષત્રિયવટ રાખનારા ક્ષત્રિય થયા છે એ દર્શાવવા પ્રયાસ સેવ્યા છે. જૈન સમાજ પિતાના પૂર્વજોની ગૌરવગાથા વાંચી, દેશ-કાળને અનુરૂપ જીવન ઘડતો થાય એવી મનેકામના છે.
આ પુસ્તકમાં જુદા જુદા વીસ અંક હેઠળ જૈનધર્મ પાળનારા પણ સાથોસાથ રાષ્ટ્રપ્રેમ તેમજ માનવતા ઘડીભર પણ વિલી ન મૂકનારા પરાક્રમશાળી આત્માઓના જીવનની ઝાંખી કરાવવામાં અભિલાષા તો એ જ છે કે એ વાંચી વર્તમાન કાળના જેને પોતાનામાં દેશકાળને અનુરૂપ ચેતના પ્રગટાવે. આ પ્રયાસને સફળતા વરશે તો આ જ ધોરણ-વિમલશા, દયાલશા આદિ શૂરવીરોની યશરેખા દોરવાની ઈચ્છા છે. - અંતમાં એટલું જણાવવું ઉચિત લેખાશે કે-આમાં સંપૂર્ણ જીવનચરિત્ર આલેખાયા નથી, પણ માત્ર અગત્યના પ્રસંગે વાનકીરૂપે અને ઐતિહાસિક દષ્ટિ નેત્ર સામે રાખી ગુંચ્યા છે.