________________ પ્ર. 6 શારીરિક આત્મિક વિટામીનનો પાઠ કયો ? ઉત્તર બુરા મત દેખો બુરા મત સોચો. પ્ર. 7 સૌથી ઉત્તમ તપ કર્યું? ઉત્તર બ્રહ્મચર્ય, તવેસુ વા ઉત્તમ બંબચે. પ્ર. 8 શક્તિ વર્થિકા ને બુદ્ધિ વર્ધિક ગુટીકા કઈ ? ઉત્તર બ્રહ્મચર્ય. પ્ર. 9. વીર્ય રાજાનો રશક કોણ ? ઉત્તર બ્રહ્મચર્ય પ્ર. 10. અબ્રહની ઇચ્છા કઇ સંશા કહેવાય ? ઉત્તર મૈથુન સંજ્ઞા. પ્ર. 11. શ્રી દશવૈકાલિક સૂત્રમાં અધર્મનું મૂળ કોને કહ્યું છે ? ઉત્તર અબ્રહ્મચર્યને મૂલમેયમહમસ્સ. પ્ર. 12 આ ચોથા વ્રતમાં કેટલી ગતિના જીવો બતાવ્યા? કયા કયા ? ઉત્તર ત્રણ. દેવતા, મનુષ્ય અને તિર્યચ. પ્ર. 13 વૈશ્યાગમન અતિચાર છે કે અનાચાર ? ઉત્તર વેશ્યાને વેશ્યા સમજીને ગમન કરવું તે અનાચાર છે અને તેની સાથે આલાપ સંલાપ કરવો તે અતિચાર છે. પ્ર. 14. પ્રતિક્રમણમાં જીવોનું કતલખાનું કયાં બતાવ્યું છે ? ઉત્તર ચોથા વ્રતમાં. મૈથુન ક્રીડા. પ્ર. 15. મૈથુનના અતિચાર કેટલા છે? કયા કયા ? ઉત્તર મૈથુનના અતિચાર પાંચ છે. 1) ઇત્તરિપરિગ્નેહિયાગમો, 2) અપર પરિગ્નહુઆગમણે, 3) અનંગકીડા, 4) પરવિવાતકરણે, 5) કામભોગસુતિવાભિલાસા. પ્ર. 16. લગ્નના દલાલ બને તો કયો અતિચાર લાગે ? ઉત્તર પરવિવાહકરણનો અતિચાર લાગે.