SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ।। શ્રી અનંતનાથાય નમઃ ।। શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ-નીતિ-ગુણ-ગુણોદય-કલાપ્રભ-મહોદય ગુરુભ્યો નમઃ દષ્ટિ બદલો. દશા બદલાશે... રસ્તા પરથી પસાર થયેલા ઊંટને જોઇને માણસ ખડખડાટ હસવા લાગ્યો...પોતાની મશ્કરી થઇ રહી હોય એવું ઊંટને લાગ્યું અને એટલે તે ઊભું રહ્યું...સામે જ ઊભેલા માણસને તેણે પૂછયું, ‘તું મને જોઇને હસ્યો ?’ ‘હા...’ ‘કેમ?’ ‘આવું ઢંગધડા વગરનું શરીર લઇને આ પૃથ્વી પર તું ફરે છે...તેના કરતાં તું હયાત ન હોય એ વધુ સારું છે...શી રીતે તને જીવન ટકાવવાનું મન થાય છે એ મને સમજાતું નથી...તારા જેવાથી આ પૃથ્વી ભારે થઇ રહી છે...' માણસે ઊંટને કહ્યું. ‘અલ્યા મૂરખ ! ભાર તે હું વધારું છું કે તું ? અમે તો કાંટાઓ ખાઇને અમારું જીવન ચલાવવાની સાથે આ પૃથ્વી પરથી કાંટાઓ ઓછા કરી રહ્યા છીએ...જ્યારે તું તો અનેકના જીવનપથ પર કાંટાઓ વેરીને આ પૃથ્વીને વધુ ને વધુ કાંટાળી અને કલંકિત બનાવી રહ્યો છે...બીજાના રસ્તામાં કાંટાઓ વેર્યા વિના તને ચાલતું જ નથી...અને એટલે જ કહું છું, આ પૃથ્વીને ભાર અમારા જેવા ઢંગધડા વિનાના શરીરવાળા પશુઓથી નથી લાગતો પરંતુ તારા જેવા સુડોળ શરીરવાળા પણ બેડોળ દિલવાળા માણસોનો લાગે છે...' ઊંટે રોકડો જવાબ આપ્યો. માણસ શું બોલે ? ઊંટની વાત ક્યાં ખોટી છે ? આખી દુનિયાને લેવાની તાકાત જે માનવીને મળી છે એ માનવી સાવ મામૂલી સ્વાર્થ ખાતર આખી દુનિયાને ખતમ કરી નાખવાની પેરવીમાં આજે પડ્યો છે...એવું કહેવાય છે કે ૨૫૦ વાર આ દુનિયાનો નાશ થઇ શકે તેટલો શસ્ત્ર સરંજામ આ દુનિયામાં આજે ખડકાયો છે ! માનવે કીડા-મંકોડાને માર્યા...પશુ-પંખીને માર્યા...અરે ! પોતાના જાતભાઈઓને માર્યા...અને એથીય આગળ વધીને પોતાના સંતાનોનેય આ પૃથ્વી પર આવવા દેતા પહેલાં જ એને માતાના પેટમાં ને પેટમાં ખતમ કરી નાખ્યાં ! માત્ર પોતાના જીવનને ટકાવવા ખાતર માણસ આજે એટલી હદ સુધીનો ક્રૂર બન્યો છે કે તેનું વર્ણન થાય તેમ નથી...૫-૧૫ હડકાયા કૂતરાઓ કરડે તો એ કૂતરાની આખી જાતિને ખલાસ કરી નાંખવા તૈયાર થઇ જાય છે ! ૨-૫ સાપ કો'કને ડંખ મારી જાય તો એ સાપ માત્રને નામશેષ કરવા તૈયાર થઇ જાય છે...તો ઉંદર સપ્તાહ, માખી સપ્તાહ, મચ્છર સપ્તાહ ઊજવી ઊજવીને લાખો-કરોડોની સંખ્યામાં નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દેવા આજે તૈયાર છે ! હમણાં જ પશ્ચિમના દેશમાં એક માણસનું હડકાયો કૂતરો કરડવાના કારણે મોત થયું...દવાઓ પુષ્કળ કરી છતાં ન જ બચ્યો...માણસ એકદમ સ્થિતિસંપન્ન હતો...તેના મોત પછી તેણે બનાવેલું વિલ ખોલવામાં આવ્યું...તેમાં લખ્યું હતું કે ‘મારી અમૂલ્ય જિંદગી એક નાચીઝ એવા હડકાયા કૂતરાએ ખતમ કરી નાંખી છે...હું
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy