________________
ચાલી જુના શામજોસ્સોઉથફ્રભારું,૦૦ આ0 ઉછીવે છેઠીને GTU ?
• દિલના દરવાજે જેમની તસ્વીર હમેંશા કંડારાયેલી રહેશે એવા નિર્વિકારી, નિર્મોહી, નિરાભિમાની, નિસ્પૃહતાના સ્વામી રાષ્ટ્રસંત, હૃદયસમ્રાટું, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા ! જેમના સોળેકળાએ ખીલેલા પુણ્યોદયને કારણે મહાનગરમાં સામુદાયિક અનુષ્ઠાનોની રંગત જામી, સળંગ ૩૪-૩૪ વર્ષથી વરસીતપની અલખ સ્વજીવનમાં લગાવી રહેલા, ૭૧ મા વર્ષેય પગે વિહરનારા પ્રબળ આત્મબળના સ્વામી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા. સંપર્ક સેતુ દ્વારા દૂર દૂરના પ્રદેશોમાં પથરાયેલા ગચ્છના શ્રાવકોને દિગ્દર્શન દેનારા, ઉવસગ્ગહર અને દંતાણી તીર્થમાં આરાધકોને ચાતુર્માસિક આરાધનાનો રંગ લગાડનારા સૂરિમંત્રારાધક પૂજ્યપાદું આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા. દિલના દેવાલયમાં અને મનના મહાલયમાં જેમના ઉપકારોની કસ્તૂરી સુગંધ સચવાયેલી છે ઉદયપુરમાં ઋષભાનન સ્વામીના તીર્થના જિર્ણોધ્ધારનું કદમ ઉઠાવનારા આગમાભ્યાસી પૂ.ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ.સા. [ આ સગૃહીત ગુરૂ પરંપરાના ઉપકારોનાં ઋણમાંથી મુક્ત બનવા યત્કિંચિત પણ શક્તિ મળે એજ ભાવના...
ગુરૂ ગુણચરણરજ મુનિ દેવરત્નસાગર