________________
૪) લોકોત્તર દેવગત:
૫) લોકોત્તર ગુરૂગત:
લોકોત્તર પૂર્વની બુદ્ધિએ માનવા તે. અઢાર દુષણોથી રહિત દેવને આલોક - પરલોકના પૌદ્ગલિક સુખના ઇરાદાથી માનવા તે.. કંચન કામિનીના ત્યાગી ગુરૂને આલોક અને પરલોકના પૌદ્ગલિક સુખના ઇરાદાથી માનવા અને આહાર - પાણી આદિ આપવા તે. સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા દાન શીલ તપ અને ભાવરૂપ ધર્મને આલોક અને પરલોકના પૌદ્ગલિક સુખની અપેક્ષાથી આરાધવો તે..
૬) લોકોત્તર ધર્મગત -
ચાર પ્રકાર
૧) પ્રરૂપણા - શ્રી જિનભાષિત અર્થથી અવળી પ્રરૂપણા કરવી તે. ૨) પ્રવર્તન - લૌકિક તથા લોકોત્તર મિથ્યાત્વની કરણી કરવી તે.. ૩) પરિણામ - મનમાં જુઠ્ઠો હઠવાદ રાખી કેવલિભાષિત નવતત્ત્વનો
અર્થ યથાર્થ સ્વીકારવો નહીં તે. ૪) પ્રદેશ - સત્તાગત રહેલી મોહનીય કર્મની ૭ પ્રકૃતિ તે.
આપણો આત્મા જગતના અનંતાનંત જીવોની જેમ જન્મમરણના ચકરાવામાં છે. આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે, ને નવ-નવા જન્મે નવી-નવી કાયામાં કેદ પુરાય છે. કર્મ વિના જન્મ હોય નહિ, કર્મ છે તો જન્મ લેવો જ પડશે. આત્માને આ કર્મબંધાવાનાં ચાર કારણ છે. - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. મિથ્યાત્વ સેવા એટલે કર્મ બંધાય, અવિરતિમાં પડ્યા રહો એટલે કર્મ બંધાય. કર્મથી જનમ, જનમથી શરીર, શરીરથી પાછા મિથ્યાત્વાદિનું સેવન, એટલે નવાં કર્મ, એથી જન્મ, શરીર, પાપો, એથી વળી કર્મ. આ ક્યાં સુધી ચલાવવું છે ?
૧૮ પાપસ્થાનક આમાં સમાય. સત્તર પાપસ્થાનકના મથાળે મિથ્યાત્વશલ્ય છે. ચારમાં પહેલું મિથ્યાત્વ, મિથ્યાત્વો
મિથ્યાત્વ એટલે, અનંતજ્ઞાનીઓએ સંપૂર્ણ જ્ઞાનવાળાએ જે તત્ત્વો કહ્યા “જીવો