SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું ક્યારે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૬ જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણને જે હણે, જે ભલભલા ઊંચે ચડેલાને ય તરણા સમ ગણે; તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૭ શ્રી મલ્લિનાથ જિનેન્દ્રને જેણો બનાવ્યા સ્ત્રી અને, સંકલેશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને; તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૮ જેનું મહાસામ્રાજય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ દુ:ખમાં કણસી રહ્યું; જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૯ તન-ધન-સ્વજન-જીવન ઉપર મેં ખૂબ રાખ્યો રાગ પણ, તે રાગથી કરવું પડયું મારે ઘણા ભવમાં ભ્રમણ; મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૦ મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું, સુખદુ:ખ પર સમભાવ રાખ્યો, તો હૃદયને સુખ થયું; સમજાય છે મુજને હવે છે દ્વેષ કારણ દુ:ખનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૧ જે સ્વજન-તન-ધન ઉપરની મમતા તજી સમતા ધરે, બસ, બારમો હોય ચન્દ્રમાં તેને કલહ સાથે ખરે; જિનવચનથી મઘમઘ થજો મુજ આત્મના અણુએ અણુ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૨
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy