________________
દેવાત્માની આ વાણી સાંભળીને ત્યાં ને ત્યાં જ સહુએ ચારિત્ર સ્વીકારી લીધું ! શાસ્ત્રકારો કહે છે, પાપના કાર્યને વિલંબમાં નાખજોજ્યારે ધર્મને તો હાજરમાં જ પતાવજો.... કારણ કે જેને વિલંબમાં નાખશો તેની તાકાત ઘટી જશે.. જેને તુર્ત અમલમાં મૂકી દેશો તેની તાકાત વધી જશે !
જીવનને સન્માર્ગે લાવનારા વ્રત નિયમોના પાલનના અપૂર્વ લાભો તમે આટલા દિવસો સુધી સાંભળ્યા છે... તો એ નિયમોને ન સ્વીકારવાથી થતાં ભારે નુકશાનો પણ તમે સાંભળ્યા છે. હવે નિર્ણય તો તમારે જ કરવાનો છે કે આત્માને જિનાજ્ઞાના પાલન દ્વારા સાચી સ્વત્રતતા અપાવવી કે પછી જિનાજ્ઞા નિરપેક્ષ જીવન જીવવા દ્વારા આત્મામાં સ્વચ્છંદતા વધારવી ?
ભૂલશો નહિ, અત્યાર સુધીમાં મળેલા જન્મો ચાલેલાં જીવનો અને આવેલાં મરણો જેવાં આ ગતિનાં જન્મ જીવન અને મરણ નથી... પરંતુ વિશિષ્ટ કોટિનાં છે.. ! જન્મ થઇ ગયો છે. જીવન ચાલી રહ્યું છે. મરણ નજીક આવી રહ્યું છે ! ચાલી રહેલા જીવનની તાકાત આ ગતિના મરણને સુધારવાની તો છે જ ઉપરાંત પછીના ભાવના જન્મને સુધારવાની પણ છે. પણ ક્યારે ? જિનાજ્ઞાપ્રધાન જીવન જીવાય ત્યારે.. ! ચાલો, સમર્પિત થઇ જઇએ જિનાજ્ઞાને !
આ સમર્પણના તીવ્ર સંકલ્પને અમલી બનાવવા દ્વારા આપણે વહેલામાં વહેલી તકે શાશ્વત સુખને પામી જઇએ !
આ બારેય વ્રતના પાલનથી આત્મા શું પામે છે તે ઉપદેશમાળાકાર શ્રી ધર્મદાસગરિજી મહારાજ પોતે ફરમાવે છે.
તવનિયમસલકલિયા સુસાવગા જે હવંતિ સુગુણા.
તેસિં ન દુલ્લહાર્દ, નિવાણવિમાસુમ્બાઈ ! જે ગુણિયલ સુશ્રાવકો તપ, નિયમો અને સદાચારોથી યુક્ત હોય છે, તેઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ દુર્લભ નથી.
મોડું ન કરો.. જીવનને શીધ્ર આ વ્રતોના પાલનથી સુશોભિત કરી દો.