________________
નહિ તે ધ્યાનપૂર્વક કપડાં આદિ જોવા તેને પ્રતિલેખન કહેવાય.
પ્રમાર્જન : જીવાદિ જોઇને એને કોઇ પણ પ્રકારનું દુઃખ ન થાય તે પ્રકારે પૂંજણી અથવા રજોહરણ થી સુરક્ષિત સ્થાન પર મુકવા તેને પ્રમાર્જન કહે છે. પ્ર. ૧૧. શું પ્રતિલેખન કરવાથી પણ અતિચાર લાગે છે ?
ઉત્તર હાં ! વિધિ અને યતનાપૂર્વક પ્રતિલેખન ન કરીએ તો અતિચાર લાગે.
પ્ર. ૧૨ પાટ, સંથારા પ્રતિલેખન વ્યવસ્થિત ન કર્યું હોય તો કયો અતિચાર લાગે ? અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજ્જાસંયારએનો અતિચાર લાગે.
ઉત્તર
પ્ર. ૧૩ લઘુનીતી તથા વડીનીતી ભૂમિની પ્રતિલેખના વ્યવસ્થિત ન કરી હોય તો કયો અતિચાર લાગે ?
ઉત્તર અપ્ટિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિનો અતિચાર લાગે. પ્ર. ૧૪. પૌષધ વ્રતનું વિધિપૂર્વક પાલન ન કર્યું હોય તો કયો અતિચાર લાગે ? પોસહસ્ય સમ્મે પાલણયાનો અતિચાર લાગે.
ઉત્તર
સચિત્ત પાણીમાં સમયે સમયે જીવહિંસા થાય છે. ઉકાળવાથી અલ્પ પણ અનિવાર્ય હિંસા જરૂર થાય છે પણ અલ્પ થાય છે. સચિત્તથી પરિણતિ પણ નિષ્ઠુર બને છે. કાચા પાણીની જગ્યાએ ગરમ પાણી જ પીવાનું લક્ષ રાખવું. નિયમ જ લઇ લેવું. હોટેલ, લારી, ગલ્લા, કેન્ટીન આદિના અભક્ષ્યના કંઇક દોષોથી બચી જવાશે.