________________
ભાવનાના પચ્ચકખાણ કરાય છે. (૨) છએ જીવકાયના જીવોને અભયદાન અપાય છે. (૩) બે ઘડી સુધીના સમય માટે બ્રહ્મચર્યનું પાલન થાય છે. (૪) બે ઘડી દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના થાય છે.
કેટલાક પ્રશ્નોત્તર
હે ત્રિલોકીનાથ ! શું કહું મારી વ્યથાની કથા ! “આશ્રવ થકી જીવ ભમીયો રે લોલ.... મારા આત્માએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ના પ્રતિબંધથી અનંત આશ્રવી ઉભો કર્યા. તેને રોકવા, સાવધ વ્યાપારના પ્રત્યાખ્યાન કરી oોય અનાત્મભાવે ચોગોને જે વ્યાપાર પ્રત્યાખ્યાન કરીનેય અનાત્મભાવે યોગીને જે સાવવામાં પ્રવર્તાવ્યા છે. તેનાથી પાછા ફરી સર્વ જીવોને આત્મવત જાણી સમભાવનું શુધા પાન કરું તે ઘડી, પળ મારા ધન્ય હશે.
પ્ર. ૧ સામાયિક એટલે શું ? ઉત્તર સમ+આય+ઇક એટલે સમભાવની આવક યાને પ્રાપ્તિ તે સામાયિક. પ્ર. ૨ સામાયિકમાં શેના પચ્ચકખાણ છે ? ઉત્તર સામાયિકમાં સાવદ્ય યોગનો ત્યાગ છે. પ્ર. ૩ સાવદ્ય યોગ એટલે શું? ઉત્તર મન, વચન, કાયાની પાપસહિત ક્રિયા એ સાવદ્ય યોગ કહેવાય. પ્ર. ૪ સાવદ્ય યોગ કોને કહે છે ? ઉત્તર અઢાર પાપસ્થાનકને સાવદ્ય યોગ કહે છે સાવદ્ય યોગ એટલે પાપક્રિયા. પ્ર. ૫ સામાયિકથી શું લાભ થાય છે ? ઉત્તર આવતાં નવા કર્મો રોકાય છે. જુના કર્મો ક્ષય થાય છે. આત્મિક શાંતિ મળે છે.
સાચી સુખની અને સમભાવની પ્રાપ્તિ થાય છે. પ્ર. સા ાયિકમાં શું કરવું જોઇએ? ઉત્તર બે ઘડી સુધી ધર્મધ્યાન તથા શુભચિંતનમાં મનને લગાડી સમભાવની સાધના
કરવી જોઇએ.