SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તો તેની જયણા= છૂટ ધારી લેવી. ભૂલનો ખ્યાલ આવે તો પ્રાયશ્ચિત લઇ લેવું. (૪) ધારેલા નિયમોને સાંજે અને સવારે ગણતરી કર્યા બાદ ભૂલચૂક થઇ હોય તો મિચ્છામિ દુક્કડ' એ પ્રમાણે બોલવું. (૫) નિયમો ધાર્યા પછી તુરંત નીચે પ્રમાણેનું દેસાવગાસિકનું પચ્ચખાણ બે હાથ જોડી લેવું. જો ગુરુમહારાજ હોય તો તેમની પાસે પચ્ચખાણ લેતી વખતે વધારેનું લેવું. પચ્ચખાણ : દેસાવગાસિય ઉવભોગે પરિભોગ પચ્ચખ્ખાઇ (પચ્ચક્ઝામિ) અન્નત્થણાભોગેણે સહસાગારેણં મહત્તરાગારેણં સવસમાહિ-વત્તિયાગારેણં વોસિરાઈ (વોસિરામિ.) (૬) નિયમોની ધારણા કરવા માટે શરૂઆતમાં નોટબુકનો ઉપયોગ કરવો. ધારણા મુજબ નોટબુકમાં નોંધી દેવું, જેથી ભૂલી જવાની ચિંતા નહીં પ્રેકટીસ પછી નોટબુકની જરૂર નહીં પડે. (૭) સૂચનો : ૧. એકની એક વસ્તુ આખો દિવસ વાપરો તે પણ એક જ ગણાય. ૨. દ્રવ્યનું નામ બદલાય અથવા જાત બદલાય તો સંખ્યા બીજી. ૩. પલંગ ઉપર બેસો તો નીચે જેટલી ગાદી તકીયા રજાઇ હોય તે બધાની સંખ્યા વધે. માટે વિવેકથી બેસવું. ૪. ધર્મકાર્ય માટે જે કોઇ પણ પ્રવૃત્તિ કરો તો જયણા સમજવી. “સચર દબૈવિગઇ, ઉવાણ તંબોલ ચીર કુસુમેરુ વાહણ સયણ વિલેણ બંભદિસિ નહાણ ભત્તે' ૧. સચિત્ત: જેમાં જીવ હોય તે સચિત્ત કહેવાય. જેમ કે, પુષ્પ, કાચું પાણી, ફૂટ, દાતણ, લીંબુનો રસ વગેરે. ધારણા દાત. આજે ૨૫ સચિત્ત ચીજોથી વધુ વાપરવી નથી. દ્રવ્યઃ ખાવા પીવાની તમામ ચીજોની દ્રવ્યમાં ગણતરી થાય છે. જેમ કે પાણી, રોટલી, દાળ, શાક, ભાત, કેળા, કેરીનો રસ, પપૈયું, કચુંબર, લાપસી, ભજીયા વગેરે. એક નામવાળું એક જ દ્રવ્ય આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર વપરાયું હોય તો પણ એક જ દ્રવ્ય ગણાય. (સચિત્ત, તંબોલની દ્રવ્યમાં પણ ગણતરી કરવી.) ધારણાઃ દાત. આજે ૫૦ થી વધુ દ્રવ્ય વાપરવાં નહીં.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy