________________
જાય ત્યાં સુધી તમારા સંઘના રખોપાની જવાબદારી અમારી.
એમ કહી આ બહારવટિયાઓએ સંઘને લૂંટવાને બદલે સંઘની રક્ષા કરી.રાત્રિભોજન ન કરવાની જિનાજ્ઞાના પાલનથી કેટલો ફાયદો થયો..
તિહાંરાત્રિભોજન કરતાં થકાં, માંજાર ધુવડ તણા અવતાર જો.”રાત્રિભોજનના ફળમાં બિલાડા અને ઘુવડ- ગિરોળી વગેરેના અવતારોની ભેટ ! એ ભવોમાં જીવહત્યાની જ ચાલતી વેશ્યા!પરિણામ ?. ઉત્તરોત્તર ખરાબ ગતિઓમાં આત્માની રખડપટ્ટી
અભક્ષ્યભોજનના કટુરિપાકો શાસ્ત્રચલુથી જોઇને તેને સર્વથા તિલાંજલિ આપી દેવા જેવી છે.
આજના કાળની વિષમતા ગણો કે ઝેરી પવન ગણો..અચ્છા અચ્છા ધર્માત્મા ગણાતા પણ કેટલાક ભાગ્યશાળીઓના ઘરે આવતા સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં જાગ્યે અજાયે પણ અભક્ષ્ય ભોજન પિરસાઇ રહ્યા છે. શ્રીખંડની સાથે મગની દાળ કે ચણાના લોટની કઢી વાપરવાથી દ્વિદળ થાય....અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ થઇ જાય. આવા પણ ભોજનો લગ્નપ્રસંગોમાં અપાઇ રહ્યા છે...અભક્ષ્ય બરફનો પણ ઠંડા પાણી પીવા માટે છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે..
યજમાનના આમંત્રણથી જમવા ગયેલા સંતની થાળીમાં લાપસી પિરસાતાં સંતે લાપસીને બદલે યજમાન પાસે બાજરાનો રોટલો મંગાવ્યો.યજમાને કારણ પૂછ્યું આમ કેમ ?
“જા એક દર્પણ લાવ.'
દર્પણ આવતાં સંતે તેના પર ઘી થી લચપચ લાપસી ચોપડી. યજમાનને કહ્યું આમાં તારું મોઢું જો..
“શું જોઉં ? કાંઈ દેખાતું જ નથી..” હવે લે, આ રોટલો તેના પર ઘસવા લાગ. રોટલો ઘસતાં દર્પણ ચોખ્ખું થઇ ગયું. તેમાં પ્રતિબિંબ સ્પષ્ટ પડ્યું...
જો, આત્માને દર્પણ જેવો નિર્મળ બનાવવો હોય તો વિગઇઓના ભોજનને બદલે રુક્ષ ભોજન વધુ ઉપકારક છે...એ તને સમજાવવા માટે લાપસીને બદલે બાજરાનો રોટલો મંગાવ્યો.”
આ સાંભળી યજમાન સ્તબ્ધ થઇ ગયો !
ભક્ષ્ય ભોજનમાં પણ આત્માની પવિત્રતાને નજર સામે રાખવાની જ્યાં વાત હોય ત્યાં અભક્ષ્યભોજનના સેવનની તો વાત જ ક્યાંથી હોય ?.. માટે આ