________________
પ્ર. ૭ આત્યંતર પરિગ્રહ કોને કહે છે? ઉત્તર રાગ દ્વેષ, વિષય વાસના, કર્મ આદિ આવ્યંતર પરિણતિ આધ્યેતર પરિગ્રહ છે. પ્ર. ૮ આત્યંતર પરિગ્રહ કેટલા છે? ઉત્તર આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે.
ચાર કષાય + નવ નોકપાય + મિથ્યાત્વ = ૧૪ આત્યંતર પરિગ્રહ છે. ચાર કષાય : ૧) ક્રોધ, ૨) માન, ૩) માયા, ૪) લોભ. નવ નોકષાય : ૧) હાસ્ય, ૨) રતિ, ૩) અરતિ, ૪) ભય, ૫) શોક,
૬) દુર્ગછા, ૭) સ્ત્રીવેદ, ૮) પુરુષવેદ, ૯) નપુંસકવેદ. પ્ર. ૯. ક્ષેત્રમાં આદિનું પરિમાણ કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર હું ધાન્યાદિના આટલાથી વધુ ખેતર આદિ, આટલાથી વધુ ગોચર ભૂમિ
આદિ, આટલાથી વધુ ક્રીડાંગન આદિ, આટલાથી વધુ ખુલ્લી જમીન આદિ, આટલાથી વધુ સેવક, દૂધવાળા પશુ આદિ નહિ રાખું. અમુક તોલાથી વધુ
સોનું ચાંદી મણિ રત્નાદિ નહીં રાખું. પ્ર. ૧૦. ક્ષેત્ર આદિના પરિવારનું ઉલ્લંધન કેવી રીતે થાય છે? ઉત્તર જેવી રીતે ૧૦ ખેતર રાખ્યા હોય તેના સ્થાન ઉપર ૧૩-૧૪ ખેતર કરી લેવા.
પોતાના ખેતર પાસે બીજનું બે તાર હોય તેને એક વાડ લગાવીને એક ખેતર ગણવું. દસા ઘર રાખ્યા હોય તે આવશ્યકતા થવા પર બે - ચાર વાવી દેવા.
દસ ખેતરથી અધિક મળવા પર તેને બીજાના નામે કરીને પણ અધિકાર પોતાનો રાખવો.
૧૧. પુણિયો અને મમ્માણ બંને યાદ આવે તેવું વ્રત કર્યું ? ઉત્તર પાંચમું વ્રત. અપરિગ્રહ – પુણિયો શ્રાવક, પરિગ્રહ – મમ્મણ શેઠ.
૧૨ પરિગ્રહના અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર પરિગ્રહના અતિચાર પાંચ છે.
૧) ખિત-વત્યુમણાઇક્કમે, ૨) હિરણ-સુવણપમાણાઇક્રમે, ૩) ધણધનપમાણાઇક્કમે, ૪) દુપ્રય-ચપ્રિયપમાણાઇક્રમે,
૫) કુવિયપમાણઇક્કમે. પ્ર. ૧૩ મર્યાદા મૂકી મકાન રાખવામાં કયો અતિચાર લાગે? ઉત્તર ખિત-વષ્ણુ પમાણાઇક્કમેનો અતિચાર લાગે.