SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને જીવો પ્રત્યે પ્રેમ વિનાનો બનાવે છે, તેથી જેમ શેરડીની ગાંઠ હોય, ત્યાં રસ ન હોય, એમ આ પરિગ્રહ ગાંઠરૂપ કહેવાય છે. આ પરિગ્રહ આત્માને ગુણોના આનંદના, પ્રસન્નતાના પ્રદેશમાં જતા અટકાવે છે, માટે પ્રતિબંધરૂપ પણ ગણાય છે. જેમ મૂચ્છિત થયેલો માણસ સારા સારને સમજી શકતો નથી, તેમ પરિગ્રહમાં ડૂબેલો પણ સારા સારને સમજી શકતો નથી, જેનો પરિગ્રહ થાય, તેમાં મમ” “મમ' મારું મારું થયા કરે છે, માટે તે મમતા કહેવાય છે, જન્મ પહેલા ને મરણ પછી નહીં હોનારા પૈસા વગેરે પગલોની સાથે જ વળગાડી રાખે છે, માટે વળગાડ અને સંગરૂપ પણ કહેવાય છે. બધી જડવસ્તુઓ એક યા બીજી રીતે એકેન્દ્રિયાદિ જીવોના કલેવરૂપ લલચાઇને આરાધનના ઊંચાઇનો ભવ મળવા છતાં કષાયોની નીચી ભૂમિ પર ઉતરી આવે છે, માટે પરિગ્રહ ગૃદ્ધિ (સંસ્કૃતમાં ગીધ માટે ગૃધ શબ્દ છે.) થી પણ ઓળખાય છે. જીવને જડપદાર્થોના વિચારોમાં ચોંટાડી રાખતો હોવાથી પરિગ્રહ આસક્તિ રૂપ છે. રૌદ્રધ્યાનના (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી અને (૪) સંરક્ષણ આ ચારેય પ્રકાર માટે સંપત્તિ પરિગ્રહ મુખ્ય ભાગ ભજવે છે. જરૂરિયાતથી જે વધારાનું હોય, તે બધો પરિગ્રહ છે. જરૂરિયાતમાં પણ મમતા મૂર્છા આસક્તિ પરિગ્રહરૂપ છે. પ્રસંગને અનુરૂપ જરૂરિયાત જેટલા મનાતા ક્રોધ ઇચ્છા ક્રોધ કે ઇચ્છારૂપ છે. (જે પોતે સ્વતઃ ખરાબ જ છે.) જરૂરિયાતથી વધુ કરેલા ક્રોધ કે કરેલી ઇચ્છા પરિગ્રહરૂપ છે અને જરૂરિયાત જેટલા પણ ક્રોધાદિમાં કરવા જેવા લાગ્યા-ગમ્યા તો એ પણ પરિગ્રહરૂપ. ધનાદિ અંગે સંરક્ષણની ચિંતા આગળ જતાં રૌદ્રધ્યાન બની નરકનો રસ્તો બની શકે છે. ધનપર આસક્તિ રાખનાર મમ્મણશેઠ સાતમી નરકે ગયા છે. છ ખંડના અધિપતિ ચક્રવર્તી સુભૂમની રાજ્યની લાલસા વધી. ધાતકીખંડના ભરતક્ષેત્રના છ ખંડ જીતવા જતાં પોતાની સંપૂર્ણ સેના સાથે લવણસમુદ્રમાં પડ્યો અને સાતમી નરકે ગયો. - એક શહેરમાં લક્ષ્મીદાસ શેઠ રહેતા હતા. ધનના લોભમાં દૃષ્ટાંતરૂપ હતા. એનો પુત્ર ભોલાશંકર બિચારો સાવ સીધોસાદો હતો. શેઠની તિજોરી ધનથી ભરાઇ ગઇ. આથી ધનની ચિંતામાં શેઠની ઉંઘ હરામ થઇ ગઇ. શેઠે વિચાર્યું - જંગલમાં કોઇક જગાએ દાટી દેવાથી ધન સલામત રહેશે. શેઠ પોતાના પુત્રને લઇને વહેલી સવારે મોટા થેલામાં ધન મુકી અંધારામાં જંગલમાં દાટવા ગયા. એક ચોરે શેઠ, પુત્ર તથા થેલાને જોઇ વિચાર્યું - શેઠ ધન સંતાડવાના હેતુથી જઇ રહ્યા છે. ચોર છાનોમાનો તેમનો પીછો કરવા લાગ્યો. જંગલ આવ્યું. શેઠે ધન છુપાવવા એક જગ્યા પસંદ કરી. ધન દાટતાં પહેલાં કોઈ જોતું તો નથી ને, તેની સાવધાની રાખવા પુત્રને આજુબાજુ તપાસ કરી લેવા મોકલ્યો. ચોરે શેઠની વાત સાંભળી હતી. પહેલાં વિચાર્યું - ભાગી જાઉં. પરંતુ પછી
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy