________________
‘જ્ઞાનસાર’ ગ્રંથમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ૩૨ અષ્ટકોમાં સુંદરસમ્યક-સરસ ઉપાયો દર્શાવે છે. આજથી ૩૫૦ વર્ષે પૂર્વે આ મહાત્માએ અનેક રોગોના ઉપાયોની ચાવી દર્શાવી છે. દોષ નાશ કરવાની પ્રક્રિયા સામે ગુણોના ઉઘાડની સંભાવનાઓ ગજબ રીતે બતાવી છે.
ઓવારી જવાયું છે, આ ગ્રંથ પર...
પ્રલોભનોની સામે પવિત્રતા ઊભી કરવાની દ્દષ્ટિઓ...
પરલોકને સદ્ધર કરવાની ચાવીઓ...
પરમલોકનું લક્ષ્ય નિશ્ચિંત કરી દે તેવી પ્રેરણાઓનો રસથાળ પ્રવચનો રૂપે વહેતો
કર્યો છે.
વહેતા રહો.... ભીંજાતા રહો....
ભાવિત બનો....
કલિકુંડ તીર્થ કલિકટ (કેરલા)
પ્રવચન પ્રસાદી
પુણ્યબંધ, શુભાનુબંધ, ઋણાનુબંધ, અશુભાનુબંધ, વેરાનુબંધ આમાંથી આપણે સતત કયો બંધ કરીએ છીએ?
– મુનિ દેવરત્નસાગર
મહા સુદ -૨ ૨૦૭૦
સહાયક બનો... વિશ્વાસપાત્ર બનો...
આભાર માનતા શીખો...
કષ્ટો સહન કરો ગુણોને વહન કરો ગુણવાનોને નમન કરો
આરાધના સતત કરો.
• સખત કરો. • સુંદર કરો.