SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કયાં રાખી હતી? રજોહરણમાં મોક્ષનો ઉપદેશ આપનાર સાધુથી છરી રખાય? ના. ૨જોહ૨ણ લે એટલે તરી જ જાય એવું જૈન શાસન ગેરંટી આપતો નથી. રજોહરણ રાહ છે. સુરતમાં રોગચાળો ફેલાવાથી એક પતિ-પત્ની પોતાના નાના બાળકને લઈને મુંબઈમાં રહેતાં પોતાના સ્વજનને ઘરે ગયા. સ્વજનને રાતના વિચાર આવ્યો કદાચ એમના શરીરમાં પ્લેગના જંતુઓ દાખલ થયા હશે તો પેલા સ્વજને રાતના જ ત્રણેનું ખૂન કરી નાખ્યું. તમારી ઉપર ભરોસો રાખનારને કયારે પણ દગો આપતા નહીં. તમારા ખોળામાં માથુ મુકનારને તિરસ્કારતાં નહીં. ક્ષત્રિયો પણ શરણે આવેલા શત્રુઓને મારતા નથી. શાંતિનાથ ભગવાને મેઘરથના ભવમાં શરણે આવેલા પારેવાને પોતાના પ્રાણના ભોગે રહ્યો હતો. શરણાગત પારેવાની દયા જો ભગવાન કરતા હોય તો આપણે કયારે પણ વિશ્વાસ ભંગ ન કરવો જોઈએ. જ્ઞાની ભગવંતો કહે છે, વિશ્વાસ મૂકીને તમારા ઘરમાં આવનારનું કયારે અપમાન ન કરતાં. જ્ઞાની ભગવંતનોએ દરેક વાતો કરતા જણાવ્યું છે કે તારી શક્તિ મુજબ દરેક ક્રિયામાં તારે તત્પર બનવું જોઈએ. તપ કયારે કરવો? ઈન્દ્રિયોની હાનિ ન થાય, યોગની હાનિ ન થાય અને દુર્ધ્યાન ન થાય એ રીતે તપ કરવો જોઈએ. ધાર્મિક જીવનની વાતો સાથે સામાજિક જીવનની પણ બધી જ વાતો જણાવી છે. શ્રાવકોએ ધંધો કેમ કરવો એ પણ બતાવ્યું છે. . રહેઠાણ કયાં બનાવવું, લગ્ન કોની સાથે ક૨વા વગેરે આ શાસનની એક એક વાતો સાંભળો તો આભા બની જશો. આ ૫રમાત્માએ નિગોદથી માંડીને સર્વાર્થ સિધ્ધમાં પહોંચેલા જીવોની ચિંતા કરી છે. ઉઠીને શું કરવું જોઈએ? ઉઠીને પ્રથમ આંખો ખોલે. ઉઠીને પછી સીધો ચાલવા ન માંડે. હથેળીમાં સિધ્ધશિલા નિહાળી ૨૪ પરમાત્માઓને વંદન કરે. ત્યારબાદ જે બાજુનો શ્વાસ ચાલતો હોય એ પગ પહેલા ઉપાડવો. સિધ્ધિ સૂરિ મ. દ૨૨ોજ એક લાખનો જાપ કરતા હતા. આ વાક્ય ઉ૫૨ કોઈ અશ્રધ્ધા ન કરતા વિચાર આપણને એકવાર આવી જાય કે ગોચરી-પાણી-આરામ-આહાર-વિહાર ક્રિયાની સાથે આટલો જાપ કેવી રીતે? મહાત્માઓ ૧૪ પૂર્વનો અભ્યાસ કરે છે. પૂર્વ કેટલું મોટું? એક હાથી પ્રમાણ શાહીથી પ્રથમ પૂર્વ લખવું હોય તો લખી શકાય? નાનું બાળક – દરિયો કેટલો મોટો એના ઉત્તરમાં પોતાના બે હાથ લાંબા કરીને કહેશે આટલો મોટો. આવા મહાન ૧૪ પૂર્વનો પાઠ મહાત્માઓ કેટલા સમયમાં કરે? અંત મૂર્હતમાં સ્વાધ્યાય કરી લે. આ શાસ્ત્રની વાતો આપણી બુદ્ધિની નાની ફુટપટ્ટીથી માપી શકાય નહી. વિજ્ઞાનની વાતો સાંભળીને આપણી શાસ્ત્રીય વાતોમાં કયારેય શંકા કરતા નહીં. જિન તત્વની વાતો TWITTRIBUT BHA avai#Y || 4 સાક 1222231 ૨૫૨ 14 GALI_| |_ $13-JAMNE TET UuYsi|| - mins | || |
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy