SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તમને સંસારતો ડર છે? મહાન જ્ઞાની ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ ઈન્દ્રિયજયાષ્ટકના શ્લોકોના પ્રારંભમાં જ આપણને પ્રશ્ન પૂછે છે તમને સંસારનો ડર લાગે છે? મોક્ષની આકાંક્ષા છે? જીવ જો સંસારથી ડરતો ન હોય તો આગળ વધવાથી શું? જ્ઞાનીઓ કહે છે સંસારના ડર લાગવાના ઘણાં કારણો હોય છે. એકવાર એક માણસ કહે મહારાજ! હમણાંને હમણાં નિયમ આપો! મહારાજ કહે શેનો? કારેલાના શાકનો. પણ શા માટે? સૌની પાસે કારણ મળી શકે છે. પાપનો બચાવ આપણને બગાડશે. સ્વીકાર આપણને જગાડશે. કોઈપણ પાપનો બચાવ ન કરો. મહારાજ પેલા ભાઈને પૂછે છે કે નિયમ શા માટે લીધો? ભાઈએ કહ્યું, મને કારેલાનું શાક ભાવતું નથી. ઘરમાં જ્યારે બને ત્યારે ખાવું પડે. માથાકૂટ થાય એના કરતા નિયમ હોય તો પંચાત નહીં. અહીં એક બીજી હસવાની વાત યાદ આવી જાય છે. એક ભાઈ પોતાની પત્નીને સ્ટેશને ચડાવવા માટે આવ્યા છે. ટ્રેન આવી. અરસપરસ બંને એકબીજાને સલાહ આપે છે. ભાઈ કહે છે તું સાચવીને જજે. ત્યાં પહોંચીને તરત ફોન કરજે. પત્ની કહે છે રાતના મોડે સુધી ટી.વી. જોઈને જાગતા નહીં. ઘરનું ધ્યાન રાખજો. કારણ વાતોમાં બેસી જાઓ પછી તમારું ઠેકાણું નહીં. પેલા ભાઈ પત્નીને જોઈ રડી પડ્યા અને રડતા કહે આ ૨-૩ દિવસ તારો વિરહ સહન નહીં થાય. બહુ દુઃખ લાગે છે. હવે એ જ સમયે એક ભાઈ પોતાની પત્નીને લેવા આવ્યા હતા. ગાડી સ્ટેશન પર ઊભી રહી અને એની પત્ની નીચે ઉતરી. એના પતિને કહે છે સામાન ઉપાડો. પતિ સામાન ઉપાડતા કહે છે કે ચાર દિવસથી વધારે કોઈએ સંઘર્યા નહિં ને? આ સાંભળી પત્ની કહે છે, જુઓ સામે એ ભાઈ રડી રહ્યા છે - પત્ની જાય છે માટે. ત્યારે પતિ કહે છે કે મારે પણ હવે રડવું છે કારણ એની જાય છે માટે રડે છે અને મારી આવી છે માટે રડવું છે. સંસાર છોડવાની વાત વૈરાગી સિવાય કોઈ કરતા નથી. વૈરાગ્ય પણ ત્રણ પ્રકારના જ્ઞાનીઓએ કહ્યા છે. દુ:ખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. ખરેખર મોક્ષને ઈચ્છતા હો તો તમારે શું કરવું જોઈએ? મોક્ષસુખને મેળવવા માટે આત્મશક્તિને જાગૃત કરવી પડશે અને એ શક્તિ ઈન્દ્રિયોના વિજયમાં જોડવી પડશે. ઈન્દ્રિયજય એટલે દુમાર્ગે જતી ઈન્દ્રિયોને સન્માર્ગે વાળવી. આંખથી કલાત્મક બંગલો જોયો અને થયું બંગલો બહુ સરસ છે. આ થયો ઈન્દ્રિયનો પરાય. ઈન્દ્રિયો પદાર્થ તરફ દોડે એ પરાજ્ય અને એ જ ઈન્દ્રિયો આત્માના LL LLL LL18 * * * WE DIET WILL Y - ૩ || ૨૨૮ ||*****__*_*_* * !K****** 12211_A_*||********|
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy