________________
એક કવિએ સરસ વાત કરી છે....
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક,
યામે સુખ દુઃખ વારીએ, સો લાખણમે એક. આવો મિત્રો, સાથી, સંગાથી મળી જાય તો ઘણીવાર ખરાબ કામોથી બચી જવાય. જેને ભીતરની વાત કરી શકાય તદ્દન હળવા થઈ શકાય, તમે બિલકુલ ખુલ્લા થઈ શકો, તમારી રાજી-નારાજી બધી જ વાતો વ્યક્ત કરી શકો એવાને જીવનસાથી બનાવજો. એકવાર પણ શંકાનો કીડો સંબંધમાં જાગી જાય તો ખલાસ.....
રાજા ભતૃહરિને હવે શંકા જાગી છે.. મારી સર્વસ્વ જેને માનતો હતો....એ જ બેવફા...ધિક્કાર છે...
સંસારની હરક્ષણ અસ્થિર કરી શકશે જો સાવધ ન રહ્યા તો !
જડ પ્રત્યેના રાગથી બચવા વિચારશીલ બનજો... અને જીવો પ્રત્યેના ષથી બચવા લાગણીશીલ બનજો... વિચારશીલતાથી રાગ કન્ટ્રોલમાં રહેશે,
જ્યારે લાગણીશીલતાથી દ્વેષ કન્ટ્રોલમાં રહેશે. વિચાર જડને અપાય લાગણી જીવને અપાય. સજ્જન બનશો સગૃહસ્થ બનશો.
=
• ૯૩ •