SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વિવેક, વૈરાગ્ય અને દ્રઢસંકલ્પના બળથી વિચારો ન રોકી શકનાર માટે જાપ વિચારોને રોકવાનું એક સાધન છે. જાપમાં એકતાન થઈ જગતનું વિસ્મરણ કરવાનું છે. આત્મા છું હું આત્મા છું’ ‘હું શુદ્ધ ચીદ્રુપ છું’ ‘હું સત-ચિત્ આનંદ સ્વરૂપ છું' ઈત્યાદિ. ૨૪૮ @> જાપનો હેતુ જગતની વિસ્મૃતિ કરવી એ અને પોતાની મૂળ અસ્તિને સ્મૃતિમાં લાવવી એ હોવો ઘટે. શરૂઆતમાં એવી આત્મતન્મયતા ન ખીલે, પણ જેમ જેમ એકાગ્રતા વધશે તેમતેમ આત્મસ્વરૂપનું વિશેષ ભાસન થવા મંડશે – પછી તો જાપમય બની જવાશે. જાપ સહજ સ્મરણરૂપ બની જશે. = ©Þ અલબત્ત, પ્રથમ આત્માનુભવ વેળાએ તો આંશીક જ સુખની અનુભૂતિ થાય – જેમજેમ આત્મસ્થિરતા વધતી જાય એમએમ એ સુખ સઘન થતું જાય – તો પણ પ્રથમ અનુભવ પણ સાધકને અપૂર્વ અપૂર્વ આહ્લાદથી અભિભૂત બનાવી દેનાર હોય છે. TM આત્માનુભવ થયા પછી સાધક નિઃશંક થઈજાય છે કે કરવા યોગ્ય મહદ્કાર્ય તો આ આત્માનુભૂતિ જ છે. બસ... આ આત્માનુભૂતિમાં ઓતપ્રોત રહેવું એજ હવે મારૂ પરમકર્તવ્ય છે, નિશ્ચયથી... બીજું કશું ય કરણીય નથી. 1811 બીજુંબીજું કરવામાં જે સાધકો સ્વાનુભવ પામવાનો પ્રયત્ન કરવો ચૂકી જાય છે તે સાધકો જ્ઞાનીજનની કરુણાનું જ ભાજન બની જાય છે. આત્માનુભવ વિના તો બીજું બધું જ એકડા વગરના મીંડા જેવું છે. પ્રથમ આત્માનુભવનો જ ઉદ્યમ કરવા જેવો છે. 70©Þ આત્માનુભવ પામીને, એક આત્મા સિવાય, તમામ અનાત્મભાવોથી પોતે ન્યારો-નિરાળો છે એવું અનુભવી; તમામ અનાત્મભાવો બાજુથી લક્ષ પાછું ખેંચી લેવું એ નિશ્ચયથી પ્રતિક્રમણ છે – અને — સમગ્ર લક્ષ આત્મામાં જ જમાવી દેવું એ સામાયિક છે. ©T સત્સંગ અને સ્વાધ્યાય બે પાંખો છે...જે વડે – દેહરૂપી પીંજરથી છૂટી – જીવરૂપી પંખી પોતાના ચૈતન્યાકાશમાં વિહરી શકે છે. જ્ઞાનીજનના સમાગમ વિશે ઘણું કહેવાય ગયું છે તો પણ, પુનઃ પુનઃ કહેવાનું દિલ થાય છે કે સત્સંગ તો કેમેય ચૂકવા જેવો નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy