SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૯૯ જ્ઞાનીઓએ સુખપ્રાપ્તિની જગતથી સાવ નિરાળી-ન્યારી દિશા કેમ પકડી હશે ? સુખ માટે તો આખું જગત દોડે છે, પણ એથી અત્યંત નિરાળા રાહે વિહરી જવાનું કેમ મુનાસીબ માન્યું હશે જ્ઞાનીઓએ ? ...વિચાર્યું છે કદિય ? વિચારવા જેવું છે. જ્ઞાનીઓને જે સાફ-સાફ દેખાય-પેખાય છેએ આપણને કેમ ઝાંખુ પણ દેખાતું નથી ? સંસારને ગહનદૃષ્ટિથી વિલોકતા જ્ઞાની સ્વભાવતઃ સંસારથી ઉભગતા જાય છે...અને આપણે જેમ જેમ વિશ્વને વિલોકીયે છીએ તેમ તેમ વધુ ને વધુ વ્યામોહિત કેમ થઈએ છીએ ? જ્ઞાની કાંઈ વૈરાગ્યભાવનું ઉપલકથી આત્મા પર આરોપણ કરતાં નથી. વૈરાગ્ય એ કાંઈ એમણે ઉપરથી ઓઢી લીધેલ આંચળો નથી. વૈરાગ્ય એમની અંતર્યજ્ઞામાંથી સહજ પાંગરેલ બોધરૂપ હોય છે - એ વિરાગની જાત જ સાવ જુદી છે. સંસારનું જેવું છે તેવું પ્રમાણિક દર્શન કરતાં આપણે શીખવાનું છે. વસ્તુસ્થિતિ જેમ છે તેમ – કશાય આરોપણ-પ્રક્ષેપણ વિના – જોવાથી તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. આપણી દૃષ્ટિ એથી આમૂલ બદલાય રહે છે. નિત્ય નુત્તન, નિરાળું દર્શન લાવે છે. વત્યુ સહાઓ ધમ્મ – વસ્તુનો સ્વભાવ પિછાણીને ચાલવું એ ધર્મ છે. વિશ્વના તમામ સચરાચર પદાર્થોના સ્વભાવનો યથાર્થ પરિચય લાધે એવું ચિંતન એ જ તત્ત્વચિંતન છે. પછી તો – પ્રત્યેકના સ્વભાવ પિછાણી અવિરોધભાવે એનો સ્વીકાર કરવાનો છે. ઘણી મહાન વાત છે આ. DO આત્મદર્શન..કોઈ નિશ્વિત પ્રકારના પ્રયાસ વડે નિશ્વિત ઊપજે એવી વસ્તુ નથી. બધે બધા જ પ્રયાસો શમી જાય ત્યારે અનાયાસ ઘટના ઘટે છે. આત્મજ્ઞાનનું ખરું રહસ્ય તો જેને આત્મજ્ઞાન સંભવે છે. એને જ સમજાય છે. મુક્તિનું રહસ્ય પણ એ પછી સમજાય છે. આત્મજ્ઞાન અલગ વાત...પણ આત્મામાં ઠરવું એ પુરુષાર્થ માંગી લે છે. રાગ-દ્વેષ-પ્રસાદ-મૂઢતા આદિ સર્વ બાધકભાવો દૂર કરવા પડે છે. મનનું ચાંચલ્ય સાવ નાબૂદ કરવું પડે છે ને સ્થિર જામી રહેવાનો અભ્યાસ કેળવવો પડે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy