SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ | સત્પરુષોને અનંત સંપદાઓને આપે છે. ૧ શ્રી નમસ્કાર ભાવના અહો! આજે મારો મહાન પુણ્યોદય જાગૃત થયો કે જેથી આ પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાનો મને ભાવોલ્લાસ થયો. આજે હું ભવસમુદ્રના પારને પામ્યો છું. અન્યથા ક્યાં હું, ક્યાં આ નવકાર અને ક્યાં મારો તેની સાથેનો સમાગમ? અનાદિકાલથી મારો આત્મા અજ્ઞાનતા આદિના યોગે નિરાધારપણે સંસારમાં રખડી રહ્યો છે. આજે મને પરમ શરણની પ્રાપ્તિ થઈ છે. કારણ કે પંચ પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર એ જ સંસારમાં ભટક્તા મારા આત્માને પરમ શરણરૂપ છે. અહો! શું આ નવકાર એ મહારત્ન છે? અથવા ચિંતામણિ સમાન છે? અથવા કલ્પવૃક્ષ સમાન છે? નહિ! નવકાર તો તે સૌથી પણ અધિકતર છે. કારણ કે ચિન્તામણિ વગેરે તો એક જ જન્મમાં સુખના હેતુ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગ અને અપવર્ગને આપનાર છે, મુક્તિ ન થાય ત્યાં સુધી પણ ભવોભવને વિષે સુખને આપનાર છે. તે આત્મ! ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી, દેવલોકનાં સુખો મેળવવાં દુર્લભ નથી. દુર્લભ તો ભાવથી નમસ્કારની પ્રાપ્તિ થવી એ છે. કારણ મંદપુણ્યવાળા જીવોને સંસારમાં કદી પણ નવકારની પ્રાપ્તિ થતી નથી. આ ભાવનમસ્કાર અસંખ્ય દુઃખોના લયનું કારણ છે. આલોક અને પરલોકનાં સુખો આપવામાં કામધેનુ સમાન છે. તે આત્મ! તું આદરપૂર્વક આ મંત્રનો જપ! હે મિત્ર મન! સરલ ભાવે વારંવાર તને પ્રાર્થનાપૂર્વક કહું છું કે સંસારસમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર મંત્રને ગણવામાં તું પ્રમાદી થઈશ નહિ. આ ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને મોક્ષનો સાચો માર્ગ છે, તથા દુર્ગતિનો નાશ કરવામાં પ્રલયકાલના પવન સમાન છે. ભવ્ય પુરુષો વડે હંમેશાં ભણાતો, ગણાતો, સંભળાતો, ચિત્તન કરાતો આ નવકારમંત્ર સુખ અને મંગલની પરંપરાનું કારણ છે. ત્રણે જગતની લક્ષ્મી સુલભ છે. અષ્ટ સિદ્ધિઓ સુલભ છે. મહામંત્ર નવકારની પ્રાપ્તિ જ દુર્લભ છે. માટે હે આત્મ! આ નવકારને પરમ શરણરૂપ માની તેના તરફ અત્યન્ત આદર અને બહુમાન રાખી તદૂગતચિત્તે તેનું સ્મરણ કર! (“નવકાર મંત્રના ચમત્કારો'માંથી સાભાર) શ્રી નમસ્કાર મહામંત્રના જાપ અંગે જરૂરી માહિતિ કોઈ પણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો નવકાર મહામંત્રનું સ્મરણ શા માટે? વિધિપૂર્વક આરાધના જરૂરી છે, ખેડૂત જો દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે, તે વિધિપૂર્વક વાવવા આદિની ક્રિયા કરે છે, તો જ રીતે શ્રી નવકારના જાપથી આંતરિક બાહ્ય અશાંતિ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે, તે માટે શ્રી દૂર થાય જ! નમસ્કાર મહામંત્રના જાપની વિધિ સંક્ષિપ્ત સ્વરૂપે આપણો અનુભવ આ બાબતમાં સાક્ષી નથી પણ સમજી લેવી જરૂરી છે, તેથી નીચેનું લખાણ ભરતો, એનું કારણ આપણી અજ્ઞાનદશા છે. ધ્યાનપૂર્વક વાંચી અમલમાં મૂકવા પ્રયત્ન કરવો હિતાવહ છે. જન્મ-મરણના ચક્રાવામાં ફસાવનાર કર્મરૂપી મહારોગને આપણે ઓળખી શક્યા નથી. , પ્રેમ કરીને મારો પિયુ, હવે આવ્યો મમ ઘેર દૂધે વૂક્યા મેહુલા, મહાનંદ મારે ઘેર.”—૧૦..
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy