SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જતો રહ્યો અને પેલા ભાઈ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા. નવકારના શબ્દોના રટણમાં આટલી તાકાત રહેલી છે, તો વિધિપૂર્વક નવકાર સાધનામાં કેટલી તાકાત હોઈ શકે? ઈત્યાદિ વિચાર કરતાં અમારું અંતર નવકારને અહોભાવપૂર્વક નમસ્કાર કરી રહ્યું હતું!... “જીવનસાથી નવકારને નહિ જ છોડું!” પશ્ચાતાપ થતાં હવે તેને યથાશક્ય સહાય કરતો હતો, તે પેલા ભાઈના શરીરમાં આવ્યો. તેની ભાષામાં કોઈ કોઈ હિન્દી ભાષાનાં શબ્દો આવતા હતા, જેથી અમે તેનો ભાવાર્થ કાંઈક સમજી શકતા હતા. અમે તેની સંમતિ મેળવીને હિન્દી ભાષામાં કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેના તેણે પોતાની ભાષામાં સંતોષકારક જવાબો આપ્યા. વીસેક મિનિટ બાદ તે પ. પૂ. અચલગચ્છાધિપતિશ્રીનાં આશાવર્તિની સા. શ્રી વસંતપ્રભાશ્રીજીનાં શિષ્યા શ્રી ચારુધર્માશ્રીજી અમારા પરમોપકારી ગુરુદેવ પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ને નવકાર મહામંત્રની સાધના કરતાં અનેક વિશિષ્ટ અનુભવો થયા છે. તેમાંથી ત્રણ અનુભવો અહીં રજૂ કરું છું. જે વાંચીને એકાદ પણ આત્મા નવકાર મહામંત્રની આરાધનામાં જોડાશે તો હું મારો પ્રયાસ સાર્થક થયો માનીશ. દૈવી ઉપસર્ગમાં અડગતા વર્ષો પૂર્વે જ્યારે પૂ. ગુરુદેવશ્રીએ નવકાર મહામંત્રનો વિધિવત્ નિયમિત જાપ શરૂ કર્યો ત્યારે થોડા દિવસો બાદ તેમને જાતજાતના ઉપદ્રવો થવા લાગ્યા. ક્યારેક આંતરિક તો ક્યારેક બાહ્ય ઉપદ્રવો લાગલાગટ ત્રણ વર્ષ સુધી ચાલ્યા. ક્યારેક તો એક-બે મહિના સુધી જાપ કરતાં બિલ્કુલ ભાવ ન આવે, કંટાળો આવવા માંડે. છતાં પણ દૃઢ નિશ્ચય કરી ગુરુદેવે જાપ ચાલુ જ રાખ્યો. નક્કી કરેલો જાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોંમાં પાણી પણ ન નાંખવાનો તેમનો સંકલ્પ હતો!... ત્રણ વર્ષ બાદ એક વખત તેઓ કચ્છ-માંડવીમાં હતા. ત્યારે ૩ દિવસ સુધી રાતના સમયે જાણે બ્રહ્માંડ ફાટી જાય એવા ભયંકર અવાજો તેમને સંભળાવા લાગ્યા. ચોથી રાત્રે સૂવાની જગ્યા બદલાવી નાખી. તો પણ પહેલાં કરતાં વધારે ભયંકર અવાજો સંભળાવા લાગ્યા. અને થોડીવાર બાદ કોઈક તેમની છાતી પર ચડીને બેસી ગયો અને ધમકાવીને કહેવા લાગ્યો, ‘‘તારો નવકાર છોડે છે કે નહિ!”’ ૯૬ પૂ. ગુરુદેવશ્રીએ નીડરતાપૂર્વક કહ્યું : મરી જઈશ તો પણ મારા જીવનસાથી નવકારને નહિ જ છોડું... ભવોભવનો એ મારો સાથી છે, માટે એનો ત્યાગ તો કોઈ પણ સંયોગમાં નહિ જ કરું!!!...' તેમણે કહ્યું : ‘મારા તરફથી ક્ષમા જ છે પણ તું આવી રીતે બીજા કોઈને હેરાન ન કરીશ અને જૈન ધર્મનો સ્વીકાર કરજે.’ ‘તથાસ્તુ' કહીને તે અંતર્ધાન થઈ ગયો!!!... “સમવસરણનાં દર્શન થયાં!” એક વખત પૂ. ગુરુદેવશ્રી, પોતાના વડીલ સાધ્વીજીઓ સાથે શંખેશ્વર તીર્થે ગયા હતા. કુલ સુષુપ્તાવસ્થામાં છે ઘણી, શક્તિ અનંત અપાર; નવકાર મંત્રના જાપથી, તે સૌ જાગૃત થાય.’–૩૭ 5 લગભગ વીસેક મિનિટ સુધી આવી રકઝક ચાલી. પણ પૂ. ગુરુદેવશ્રીની મક્કમતા જોઈ છેવટે બધું જ શાંત થઈ ગયું અને કોઈક દિવ્યપુરુષ પ્રગટ થયો. તેણે કહ્યું : ‘મેં આપને ઘણા જ હેરાન કર્યા છે. કૃપા કરીને આપ મને ક્ષમા આપો.’
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy