________________
અરિહંત, સિદ્ધ, કેવળી, ભગવંત, ગુરુદેવ તથા આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ.
આ આલોચનામાં સતત સેવાની હિંસાનું વિસ્તૃત-ગહન સ્વરૂપે પ્રગટ થાય છે, અને તેનો સર્વથા ત્યાગ જ અહિંસા. આંશિક ત્યાગ, યત્ના, જાગૃતિ દ્વારા તે માર્ગ ઉત્તરોતર વિકાસ સાધવાનો છે. અનેકાન્તવાદ કે સ્યાદ્વાદના સિદ્ધાંત
વસ્તુને અનેક દૃષ્ટિથી સર્વાગીપણે જોવાનું, વિચારવાનું, મૂલવવાનું. પ્રબોધી રહેલ સત્યાંશ સ્વીકારી વ્યર્થ વાદવિવાદનું નિવારણ કરે છે. વિશ્વની સમસ્યામાત્રના સમાધાનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી સર્વત્રસુખ-શાંતિ, સર્વજીવસમભાવ કેળવવા રૂપ સ્વાર કલ્યાણમાં “આત્મવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને જૈન ધર્મના સિદ્ધાંત “સર્વ જીવ કરુ શાસન રસી” સાથે સમન્વય કરી પરમસુખનો માર્ગ બતાવે છે.
જિન પ્રરૂપિત બાહ્યાભ્યતર અપરિગૃહનો સિદ્ધાંત જીવનને ઉપાધિમુક્ત, કષાયમુક્ત અને મોક્ષમાર્ગમાં વિકાસને ગતિશીલ બનાવે છે. મમત્વ દૂર કરી સમત્વ પ્રગટાવી મોહનીય કર્મના બીજરૂપ મિથ્યાત્વ, રાગ-દ્વેષના ક્ષય દ્વારા વીતરાગતા કેળવાય, પ્રગટાવે છે અને ભવનો અંત કરાવે છે. વિશ્વસંચાલનમાં પાંચ સમવાય'નું પ્રરૂપણ :
જિનમાર્ગની - જૈનતત્ત્વજ્ઞાનની આગવી લાક્ષણિકતા છે. સ્વભાવ, કાળ, પુરુષાર્થ, પ્રારબ્ધ અને ભવિતવ્યતા એ પાંચ તત્ત્વોનો કર્મબદ્ધ પર્યાય કહો કે સમવાય દરેક ઘટનાના ઘટવા સાથે અબાધિત સંબંધ ધરાવે છે, આ પાંચને યર્થાથ સ્વરૂપે અને પ્રસંગને અનુલક્ષી મુખ્યતા-ગૌણતાના ન્યાયે વિવેકપૂર્વક સમજવામાં આવે, તો વિશ્વની અને જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાનરૂપ નિવારણ થાય છે,
પ્રત્યેક જીવ અનાદિકાળથી અતિ દુઃખમય એવી નિત્ય નિગોદરૂપ અવ્યવહાર રાશિમાં હતો. કોઈ પણ એક જીવે સ્વપુરુષાર્થથી - અનેક ભવોની વિકાસયાત્રા દરમિયાન ઉત્તરોત્તર ચડતી-પડતી અનુભવી ગુણસ્થાનક ૧ થી ૧૪ સુધી “આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી મોહનીય કર્મની મુખ્યતા સાથે આઠ કર્મોનો નાશ(ક્ષય) કરી ઘાતી કર્મો ક્ષયથી કૈવલ્ય અને આયુષ્ય (જ્ઞાનધારા -૫ = ૩૫ = = જેન સાહિત્ય જ્ઞાનસત્ર-