________________
ચતુર્વિધ સંઘની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં સંતો, દાનવીરો, વિદ્વાનો, લેખકો અને પત્રકારોની ભૂમિકા
-છાયા શાહ
(અમદાવાદના જૈનધર્મના અભ્યાસુ છાયાબેન અવારનવાર જૈનસાહિત્ય સમારોહ અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે, જૈનધર્મના વિષય પર પીએચ.ડી નો અબ્યાસ કરી રહ્યા છે.)
વર્તમાન સંઘના સ્થાપક :
/
વર્તમાન ચતુર્વાધ સંઘના સંસ્થાપક ઈક્ષવાકુ વંશની જ્ઞાત શાખામાં જન્મેલા મહાઉગ્ર તપસ્વી, જિન, સર્વજ્ઞ, શ્રમણ નિગ્રન્થ, આપ્તશ્રેષ્ઠ, ધર્મચક્રી દેવાધિદેવ ચોવીશમા ભગવાન મહાવીરસ્વામી છે.
સ્થાપના, સ્થળ, સમય : (?)
આજે પણ એના ચારે પાયા મજબત છે. આજે, સૂરિમંત્રની આરાધના કરતા આચાર્યો, શાસનની રક્ષા કરતા, ભણતા ને ભણાવતા ઉપાધ્યાયો, ઉગ્ર તપ કરતા સાધુઓ જોઈને કહેવાનું મન થાય છે કે આ ઈમારત અડીખમ
છે.
ચતુર્વિધ સંઘની વર્તમાન સ્થિતિ ઃ
વર્તમાન ચતુર્વિધ સંસ્થાને સક્ષમ રાખવામાં આપણી આજની ચર્ચાના મુખ્ય પાત્રો, સંતો, વિદ્વાનો, લેખકો, દાનવીરો અને પત્રકારોની શું ભૂમિકા છે તે વિષે વિચારીએ એક તો આ સંસ્થાને સુરક્ષિત રાખવા આ બધા કઈ ભૂમિકા ભજવી રહ્યા છે અને તેને ઉત્તરોત્તર વધુ સુશોભિત બનાવવા તેઓ કઈ ભૂમિકા ભજવી શકે.
જ્ઞાનધારા-૧
२०७
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧