________________
૩૦ના બંધના ૮ ભાંગા -
સમ્યગ્દષ્ટિ દેવ-નારક મનુષ્યપ્રાયોગ્ય-૨૯ + જિનનામ = ૩૦ પ્રકૃતિને બાંધે છે. ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. બાકીની બધી પ્રકૃતિ શુભ બંધાય છે એટલે ૩૦ના બંધના-૮ ભાંગા જ થાય છે. અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધનો ... ૧ ભાગો, પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના....૪૬૦૮ ભાંગા, પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના. .......૮ ભાંગા,
મનુષ્યપ્રાયોગ્ય કુલ - ૪૬૧૭ બંધભાંગા થાય છે. નરકપ્રાયોગ્ય બંધભાંગા૨૮ના બંધનો-૧ ભાંગો -
મિથ્યાષ્ટિ પર્યાપ્તસંજ્ઞી-અસંશી તિર્યંચપંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્ય નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી. એટલે નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો-૧ ભાંગો જ થાય છે. દેવપ્રાયોગ્ય બંધભાંગા૨૮ના બંધના-૮ ભાંગા
૧ થી ૫ ગુણઠાણાવાળા પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય અને ૧ થી ૮ ગુણઠાણાવાળા "પર્યાપ્ત મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના-૨(સ્થિર-અસ્થિર) x ૨(શુભ-અશુભ) x (યશ-અયશ) = ૮ ભાંગા થાય છે.
(૪૫) લબ્ધિ-પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને જેને જિનનામ નિકાચિત કરેલું છે એવો તદ્ભવ મોક્ષગામી સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધે છે.
૨૨૮