________________
અને ૬ થી ૮ દેવલોક સુધીના દેવો મરીને, તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી શુકુલલેશ્યામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે.
* કર્મગ્રથનાં મતે - નવમા દેવલોકથી શુલલેશ્યા હોય છે. અને નવમાદિ દેવલોકના દેવો મરીને, નિયમ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી શુકૂલલેશ્યામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. તેથી ૧૧૦માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
* ગુફલલેશ્યા લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય અને દેવોને જ હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, સર્વેલબ્ધિ-અપર્યાપ્તા અને નારકોને ન હોય. તેથી શુકલેશ્યામાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને નરકત્રિકનો ઉદય હોતો નથી. શુકૂલલેશ્યામાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
સિદ્ધાંતનાં મતે પદ્મવેશ્યાની જેમ મિથ્યાત્વે-૧૦૫, સાસ્વાદને૧૦૪, મિશે-૯૮ અને સમ્ય-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
કર્મગ્રન્થનાં મતે મિથ્યાત્વે-૧૦૫માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૪, સાસ્વાદને ૧૦૪માંથી તિર્યંચાનુપૂર્વી વિના ૧૦૩, મિશ્ન-૯૮ અને સમ્યત્વે-૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પથી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું.
-: લેશ્યામાર્ગણા સમાપ્ત - સાયિકસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
સાયિકસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - सम्माईसु असम्म, ओघव्व ण वा पणंतसंघयणा। खइए देशे विण तिरि-गइआउज्जोअणीआणि ॥७६॥
૧૭૬