________________
સમાધાન
૧૭૩ नाद सणिस्स नाणं नाणेण विणा न हुति चरणगुणा । चरणाहिता मक्खिा .' શ્રી ઉત્તરાયયન. એમ કહી જ્યારે સમ્યગ્દર્શનઆદિ ત્રણથી મોક્ષ કહે છે.
વળી “રળગુનદિ સાદુ' શ્રીઅનુયોગદ્વાર “નાિિરયાર્દિ મા' વિશેષાવશ્યક એમ કહી કેટલીક જગપર જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ જણાવે છે. '
વળી આવશ્યકનિર્યુક્તિમાં-ના પચાસ લો તો જો ચ કુત્તિશ તિપિ સમાગો મે ” એમ કહી જ્ઞાન તપ અને સંયમથી મોક્ષ જણાવે છે તેનું કારણ શું?
સમાધાન–રવપરદર્શનવાળાની સભાની અપેક્ષાએ સમ્યગ્દર્શનઆદિ ત્રણને અને સમ્યગ્દર્શનસંપન્ન એવા સંધની સભાની અપેક્ષાએ કે કેવલ પરદર્શનની સભાની અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને મોક્ષમાર્ગ જણાવાય તે ઠીકજ ગણ.
તપ એ ચારિત્રને વિભાગ છતાં માત્ર કર્મક્ષયમાં તેની પ્રધાનતા જણાવવા માટે નિર્યુક્તિમાં તપને જુદું ગણાવ્યું છે. વાસ્તવિક્તાથી જુદુ જે તપ માનીયે તો તે તપનું આવારકકર્મ જુદું માનવું જોઈએ. શ્રીહરિભદ્રસૂરિજી ચારિત્રપરવાત એમ કહી પ્રત્યાખ્યાનમાત્રને ચારિત્રરૂપ જણાવે છે. આજ વાત “ગમતવ' એ નિયુક્તિની વ્યાખ્યામાં પણ તપને સંજમને ભેદ જણાવવાથી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૧૦૬૨-આનંદશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રીગૌતમસ્વામીએ સહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ ? અથવા અભૂતપદાર્થની અશ્રદ્ધા કહેવાય કે નહિ ?
સમાધાન-સભૂતપદાર્થની અશ્રદ્ધા તો ગણાય અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે ગૌતમસ્વામીજીને આલોચનાઆદિ કરવાનું ફરમાવ્યું છે.