________________
૧૬૨
સાગર તદિનમપિ વિન્ને વરેંડમતિ અર્થાત મોક્ષની પ્રાપ્તિમાં જે સમ્યગ્દર્શનાદિ કારણો છે તેની બધા જીવોને મહારી શક્તિ પ્રાપ્તિ કરાવું અને મહને મોક્ષનાં સાધનામાં વિદ્ધ કરનાર જીવોને પણ મેક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાનો વિનમાં હું વતું નહિ, આ વાત ધ્યાનમાં આવશે ત્યારેજ કૌશાંબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતનને ઠગવાવાળી એવી મૃગાવતીને પ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતા કેમ પકડી કે રોકી નહિં ? તેનો ખુલાસો થશે અને એને પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવતી ભરતમહારાજાઆદિએ પિતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણમાં કેમ રોક્યો નહિ ? આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગ્દર્શનને ધારણ કરનાર પુરૂષ સ્વજનને તો શું ? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તે મદદ કરનારજ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયો હોય તે પણ સ્તુતિપાત્રજ છે. એમ સમ્યગ્દર્શનવાળો માને અને તેથીજ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રીબાહુબલિની ભરત મહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી “વવા જ રેવ” અને “ને દિર ઉદારૂ” એ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ગાથાઓને અનુસાર અપરાધી એવા દર્શન માત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકુલ વિચારવાનું સમ્યક્ત્વ દૂષિતજ થાય એમ સમજી અપરાધી એવા પણ શ્રીસંઘથી પ્રતિકૂલ નજ વિચારવું અને નજ કરવું એમ માનવું પ્રતિકૃતિ નથી અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવતસ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર પ્રચંડદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલનો ડામ ઢાંકવા માટે રાજા પણ સાથે સુવર્ણપટ જે શરૂ કરાવ્યા તે વ્યાજબીજ ઠરશે.
પ્રશ્ન ૧૦૪૪–ભગવાન શ્રીઅછતનાથજી અને શ્રીશાતિનાથજીએ સિદ્ધાચલજી ઉપર ચોમાસ કર્યા ત્યારે સાધુ-સાધ્વીઓ ગિરિરાજ ઉપર