________________
સમાધાન
૧૬૧ સમાધાન-જ્યાઘન્ત કે અર્થાધિકારવાળા પદમાં અક્ષરનું સરખાપણું ન હોવાથી ભાન બેવડું છતાં બેવડાં પદોની સંખ્યા હેવાની જરૂર નથી.
પ્રશ્ન ૧૦૪૩-શાસ્ત્રકારો સમ્યકત્વના પ્રશમઆતિલક્ષમાં રામલક્ષણનું વર્ણન કરતાં જણાવે છે કે-અવરવિ ન બા” ત્યાદિ, તથા “અપરાધિ શું રે પણ નવિ ચિત્તથી, ચિંતવિયે પ્રતિકૂળ વિગેરે તે ચોથા ગુણઠાણે રહેલા અવિરતસમ્યગ્દષ્ટિને પણ હોય છે અને તેઓને અનર્થદંડની હિંસાનો પણ ત્યાગ હોતો નથી તો પછી અર્થદંડરૂપ એવી સાપરાધની હિંસાનો ત્યાગ રોધ તો હોય જ ક્યાંથી? અને અણુવ્રતને ધારણ કરનાર દેશવિરતિવાળો જે પાંચમે ગુણકાણે હોય છે તેને પણ નિરપરાધ ત્રસજીવની હિંસાનો ત્યાગ છે. અર્થાત સાપરાધની હિંસાને ત્યાગ કે રોધ પાંચમે ગુણઠાણે પણ હેતો નથી. વળી છે ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતો જો કે ત્રસ અને રથાવર બન્ને પ્રકારના જેની હિંસાથી સર્વથા વિરમેલા છે. પરંતુ કષાયના ઉદયાળા હોવાથી અપરાધી જીવો પર સર્વથા ક્રોધરહિતપણું તો તેઓને પણ હેવાનો સંભવ નથી, તો શું એ ત્રણે ગુણઠાણું સમ્યક્ત્વના લિંગ વગરનાં માનવા કે સમ્યત્વ વિનાનાં માનવાં?
સમાધાન-દર્શનીયમોનીયના ક્ષયોપશમઆદિથી થયેલ તત્ત્વની અપ્રતીતિ અને અનંતાનુબંધિના પશમાદિથી થયેલ અતત્વની પ્રતીતિના નાશથી સમ્યગદર્શનવાળો જીવ પરમ પદનેજ સાધ્ય અને પ્રાર્થ ગણનારો હોય, અને તે એટલે સુધી મે ક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા. ગણનારો હોય કે સહાય જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મોક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂલતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીકત આચાર્ય દેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે
'मोक्षलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च