________________
મંદિરવાનું અને ૪૦ દેરીમોની રચનાથી વિભૂષિત કરાયું છે. એમાં ઉર્વિલે ક અને અલકને વિમાનમાંના શાશ્વતચૈત્યોમાં સ્થાપિત કરાયેલા એકસો એંસી જિનબિંબને અનુલક્ષીને ૧૮૦ પ્રભુ પ્રતિમાઓ જેનામોની સંખ્યા પીસ્તાલીશ હોવાથી ૪૫ ચૌમુખજીઓ વડે આ પ્રમાણે સ્થાપિત કરાવાઈ છે.-વર્તમાન ૨૪ તીર્થકરોના વીસ, ૨૦ વિહરમાન જિનેશ્વરોની વીસ અને શાશ્વતા ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજીઓ વડે (૪૫૪૪=૮૦) દેવલોકમાન જિનબિંબ સ્વરૂપ સાચવવામાં આવ્યું છે. જિનેશ્વરોના જન્મકલ્યાણક સમયના અભિષેક માટેના મેરૂ પર્વતે પાંચ હોવાથી તેને અનુલક્ષીને એક મોટો ૪ મધ્યમ એ પાંચ ચમાં. આગ અને પ્રકરણોમાં આવેલા વર્ણને પ્રમાણે પાંચ મેરૂ–પર્વતની સ્થાપના કરી પાંચ ચૌમુખજી બાકીની ૪૦ દેરીઓમાં જિનેશ્વર ભગવંતોએ સમવસરણમાં ચારે દિશા તરફ ચતુર્મુખે આગમોની પ્રરૂપણારૂપ દેશના દીધી હેવાથી તે ઉદ્દેશને-અનુલક્ષીને ૪૦ સમવસરમાં ૪૦ ચૌમુખજી ભલી ૪૫ ચૌમુખજી પ્રતિષ્ઠિત કરાયા છે. તેમજ દિવાલોમાં કરાણાના આદર્શ પાષાણોમાં શ્રી મુખે પ્રરૂપેલા એ પીસ્તાલીશ આગમ અને પૂર્વાચાર્યોએ રચેલાં કમ્મપડિ પંચસંગ્રહ ોતિષકડક વિગેરે કેટલાક શાસ્ત્રો આરૂઢ કરાવી સ્થાપવામાં આવ્યા છે.
(૨) ઉપર્યુકત આગમમંદિરની સમીપમાં સુકુમાર અને આકર્ષક સિદ્ધચક્ર–ગણધરમંદિર પણ બાંધવામાં આવ્યું છે. એના સહુથી ઉપલા મજલામાં ચારે દિશાએ કૃપાદૃષ્ટિ દાખવતા ચૌમુખજી પધરાવવામાં આવ્યા છે. અને ભૂગર્ભમાં અતિથિ તરીકે અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવ્યા છે. વચલા તલમજલાના ભાગમાં સિદ્ધચક્ર મંડળ આદીની યેજના આ મુજબ કરવામાં આવી છે-સિદ્ધચક્ર મંડળમાં ૧૦૦ ૮ પાંખડીના કમળમાં સમવસરણ યોજયું હેઈને ઉપલી બાજુમાં નવપદજીની જના માટે વિશાળપણે કમળની ૮ પાંખડીઓ બનાવવામાં આવી છે. કમળના મધ્યભાગની શિખામાં અરિહંતરૂપે ચૌમુખજીની અને વચલી ક પાંખડીઓમાં સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુની મૂર્તિઓ