SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ પરમાત્મા છત્રીશી-સાર્થ મેં હિ સિદ્ધ પરમાતમા, મેં હિ આતમરામ; મેં હિ ધ્યાતા ધ્યેયકો, ચેતન મોરો નામ. ૧૨ મેં હિ અંનત સુખકો ધની, સુખમેં મોહિ સોહાય; અવિનાશી આનંદમય, સોડહં ત્રિભુવનરાય. ૧૩ શુદ્ધ હમારો રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન. ૧૪ જેસો શિવપે તહીં વસે, તેસો યા તનમાંહિ; નિશ્ચયદૃષ્ટિ નિહાળતાં, ફેર પંચ કચ્છ નહિ. ૧૫ કરમનકે સંજોગતે, ભએ તીન પ્રકાર; એક હી આતમા દ્રવ્યÉ, કર્મ નટાવણહાર. ૧૬ કર્મસંઘાતે અનાદિકે, જોર કછુ ન બસાય; પાઈ કલા વિવેકકી, રાગ દ્વેષ છિન જાય. ૧૭ હું જ સિદ્ધ પરમાત્મા છું, હું જ આત્મામાં રમણતા કરનારો છું, હું જે ધ્યેયને ધ્યાન કરનારો છું, મારું નામ ચેતન છે. ૧૨ હું અનંત સુખનો ધણી છું, હું જ સુખમાં શોભી રહ્યો છું, હું અવિનાશી છું, આનંદમય છું, તે જ હું ત્રણ ભુવનનો રાજા છું. ૧૩ મારું સ્વરૂપ શુદ્ધ છે, સિદ્ધ સમાન શોભે છે, મારો આત્મા અનંતગુણે કરીને સંયુકત છે, ચિદાનંદ ભગવાન છે. ૧૪ જેવી રીતે આત્મા મોક્ષમાં વસે છે, તેવી જ રીતે આ શરીરમાં નિશ્ચયદષ્ટિથી જોતાં તેમાં જરા પણ ફેર નથી. ૧૫ કર્મના સંયોગથી ત્રણ પ્રકાર પડ્યા છે. આત્મદ્રવ્ય એક જ છે, કર્મ તેને નચાવે છે. ૧૬ કર્મના અનાદિના સંયોગથી આત્માનું કોઈ જોર ચાલતું નથી, પણ જયારે વિવેકની કળા પ્રાપ્ત થાય છે, ત્યારે રાગવૈષનો ક્ષય થાય છે. ૧૭
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy