________________
૧૬
કપૂર મહેંક-૭ એકન ઉપનહિ નહિ પાવત, એકનકે શિરછત્ર ક્યું ધારા; દેખ ચિદાનંદ હે જગમેં ઈમ, પાપ » પુચકા લેખા હિ ન્યારા.૩૨ પાપ » પુન્યમેં ભેદ નહિ કછુ, બંધન રૂપ દોઉ તમે જાણો; મોહની માતા તાત દોઉંકે ક્યું, મોહમાયા બલવંત વખાણો. બેડી તો કંચન લોહમયી દોઉ, યાવિધ ભાવ હિયે નિજ આણો; હંસા સ્વભાવ ધારકે આપણો, દોઉથી જ્યારે સરૂપ પિછાનો. ૩૩ પૂજત હે પદપંકજ તાકે જ્યુ, ઈંદ નરિંદ સહુ મિલ આઈ; ચાર નિકાયકે દેવ વિનેયુત, કષ્ટ પડે તાકું હોત સહાઈ. ઉરધ ઔર અધોગતકી સબ, વસ્તુ અગોચર દેત લખાઈ; દુર્લભ નાંહિ કછું તિનકું નર, સિદ્ધિ સુધ્યાનમથી જિણે પાઈ. ૩૪ કરાય છે. તે ચિદાનંદ ! આ જગતમાં તું પુણ્ય અને પાપનાં લેખાં જુદાં જુદાં છે, તે જો. ૩૨
નિશ્ચયનયથી વિચારતાં પાપ અને પુણ્યમાં કોઈ ભેદ નથી, તમે બંનેને બંધનરૂપ જાણો. બંનેના માતા અને પિતા મોહનીય કર્મ છે, મોહમાયા બળવંત છે એમ જાણો. પુણ્ય અને પાપ એ બન્ને સોનાની અને લોઢાની બેડી સમાન છે એ ભાવ હૃદયમાં-પોતાના હૃદયમાં લાવો. પોતાના આત્મસ્વરૂપને ધારણ કરીને તે બન્નેથી (પુણ્ય-પાપથી) જુદું પોતાનું સ્વરૂપ ઓળખો. ૩૩
જે આત્માઓએ કેવળજ્ઞાનમય સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેઓના ચરણકમળને સર્વે ઇંદ્રો અને નરેંદ્રો આવીને પૂજે છે, ચારે નિકાયના દેવતાઓ વિનયયુકત થઈને કષ્ટ પડે ત્યારે તેમના સહાયક થાય છે, ઉર્ધ્વલોક અને અધોલોકની સર્વ અગોચર વસ્તુઓ જેમને પ્રત્યક્ષ દેખાય છે, તે કેવલજ્ઞાનીને તે મનુષ્ય ! કોઈ વસ્તુ દુર્લભ નથી. ૩૪