________________
કરાવનાર તેમજ ઐહિક સુખ પણ આપનાર અને વિજ્ઞ નિવારનાર તેત્રનું વિધિપૂર્વક આરાધન કરવા ગ્ય છે. તેના વિધાનમાં મુખ્ય એકાગ્ર ચિત્તે ધૂપ દીપ પૂર્વક ૫૦૦ જાપ કરવાનું બતાવેલું છે. આ સ્તંત્રને મહિમા અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. * આ ચરિત્ર લઘુ છતાં તેની અંદર પ્રસ્તાવિક લેક પુષ્કળ આપેલા છે. અમે કેટલેક ઠેકાણે લેક અર્થ સાથે આ પ્યા છે અને કેટલેક ઠેકાણે માત્ર અર્થજ આપેલ છે. ઉપરાંત આ ચરિત્રમાં પૃથ પૃથક સ્થળે સ્વપ્નશાસ્ત્ર, શકુનશાસ્ત્ર ને વાસ્તુશાસ્ત્રની જરૂરની હકીકતે સમાવી છે. છીંકનું ફળ, ગર્ધભના શબ્દનું ફળ, દાંત અમુક માસે પુટવાનું ફળ ઈત્યાદિ પણ બતાવ્યું છે, વિદ્યાના મહિમા સંબંધી પણ સારે ઉલ્લેખ કર્યો છે. છેવટે ધરણેન્દ્ર પ્રસન્ન થઈને પાતાળક બતાવવા પ્રિયંકરને લઈ જાય છે. તે પાતાળકનું વર્ણન પણ સારું આપેલું છે. આ સ્થળ તેનું સાશ્વત સ્થાન જણાતું નથી પણ તેનું દિડાસ્થાન જણાય છે. તેની વિચિત્ર રચના તેણે ઈચ્છાનુસાર જેલી હોય એમ લાગે છે.
આ ચરિત્ર વાંચતાં બહુ અસરકારક, હિતકારક તેમજ મિથ્યાત્વના નિમિત્તે સેવવાથી દૂર રાખનાર જણવાથી તેને જૈન બંધુઓ સમક્ષ ગુર્જર ભાષામાં મૂકવું ઉચિત ધાર્યું છે.
આ બીજી આવૃત્તિ છપાવતાં તેમાં પાછળ ઉવસગ્ગહર તેત્ર મૂળ આપેલ છે તેટલું વધારો કર્યો છે. તે ખાસ ઉપયોગી છે. સં. ૧૯૭૯ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, અશાડ. શદિ ૧. ઈ
ભાવનગર,