SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકરપ ચરિત્ર. “સર્વ ઉપસર્ગને હરણ કરનાર એવા સ્તવનનું જે પ્રાણી નિરંતર ધ્યાન ધરે છે તેને કાર્યસિદ્ધિ થાય છે અને દુષ્ટ ગ્રહ, જવર, શત્રુ, સર્પ અને રેગ વિગેરેની પીડાઓ નાશ પામે છે, તેમજ તેની સ્ત્રીઓ સંતાનવાળી થાય છે.” માટે હે ભદ્ર! આ ઉપસર્ગહરસ્તોત્રનું તારે નિરંતર ભાવથી સ્મરણ કરવું અને કઈ પણ પ્રકારનું કષ્ટ પડતાં તેની પ્રથમ ગાથાનું વિશેષ રીતે સ્મરણ કરવું (ગુણન કરવું). આ પ્રમાણેને ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રિયંકરે ઉપસર્ગહરસ્તોત્રને ગણવાને નિયમ લીધું. ત્યારથી તે દરરોજ સવારે ઉઠી પવિત્ર થઈને તેને પાઠ કરવા લાગ્યા. તે નિયમને કદાપિ ભંગ થતાં તે દિવસે તે વિગઈને ત્યાગ કરતું હતું. આ પ્રમાણે સ્મરણ કરતાં તે તેત્ર તેને સિદ્ધમંત્રની માફક સકળ વાંછિત કાર્યને સાધનારૂં થઈ પડ્યું. હવે એકદા પ્રિયંકર વિનયપૂર્વક અંજલિ જોડીને પોતાના પિતાને કહેવા લાગે કે–હે તાત! હવે તમે વ્યાપારાદિક બધાં કામનો ત્યાગ કરીને માત્ર ધર્મધ્યાનજ કરે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – जाजा वचइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ॥१॥ જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, અને ધર્મ કરતાં માણસની રાત્રિઓ સફળ જાય છે. ”હે તાત ! હવે બધું વ્યાપારાદિક કાર્ય આપના પ્રસાદથી હું સમ્યફ પ્રકારે ચલાવીશ. કહ્યું છે કે-જે પુત્ર જન્મ પામીને વિદ્વાન ન થાય અને માબાપની તથા દેવગુરૂની ભક્તિ ન કરે તેવા પુત્રથી ફળ શું? કારણ કે જે પ્રસુતા ન થાય અને દૂધ ન આપે તેવી ગાયથી શું પ્રયજન છે?” .
SR No.032369
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy