________________
જોઈએ. જ્યારે સચીનો આગળ વધે છે ત્યારે એ આનંદ સીનિયર્સનો છે, અમારો છે. અમને કોમેન્ટરી આપી તેમને બિરદાવવા ગમે છે.
અમારી શુભેચ્છાઓ છે કુમારપાળ, સદા સર્વદા કુમાર' બની રહે, નવા માર્ગ ચીંધો, સાહિત્યને - બાળસાહિત્યને, સ્પોર્ટ્સ સાહિત્યને, અધ્યાત્મસાહિત્યને, શૈક્ષણિક સાહિત્યને અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી દિલ્હી પહોંચાડ્યું છે, યુનો સુધી કે તેથીય આગળ વધારો.
પાંચ ઘોડાના સવાર કુમારપાળની આ કથા આમ તો દશ-કુમારચરિત્ર જેવી છે, આજે એમાંના કદાચ એકની કે એકથી પાંચની કહી છે. વધુ બીજી કોઈક વાર.
ફરીથી પહેલું વાક્ય વિચારીએ. લખે તે લેખક લખતો રહે તે લેખક.લખ્યા જ કરે તે લેખક. હંમેશાં સતત નવું નવું ઉપયોગી જીવનદૃષ્ટિ આપનારું માર્ગદર્શક લખ્યા કરે એ જ લેખક, એ જ કુમારપાળ દેસાઈ.
14 પાંચ ઘોડાનો સવાર