________________
તેમને સાંભળ્યા ત્યારે થયેલો. એ સમયે ભારતની એનડી.એ. સરકારે અણુવિસ્ફોટ કરેલો. એના પડઘા સમગ્ર વિશ્વમાં ગુંજતા હતા. આ સમયમાં થયેલ વાતાવરણ દેશપ્રેમ અને દેશદાઝથી તરબતર હતું. આવા સમયે તેઓને અતિથિવક્તા તરીકે સંઘ તરફથી નિમંત્રણ મળ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કરેલો. સંઘની શિસ્ત અને સમયપાલનના સંદર્ભે તેઓ બિલકુલ સમયસર આવેલા. હું પ્રમુખ વક્તા હતો, પણ તેમણે ૨૦ મિનિટના અતિથિવક્તા તરીકેના વક્તવ્યમાં સંઘ-વિચારને એવો તો વણી લીધેલો હતો કે મારા ઉપરાંત અન્ય અધિકારીગણના તથા તમામ સ્વયંસેવકોનાં હૃદય જીતી લીધાં. તમામને લાગ્યું કે જાણે સંઘના કોઈ અધિકારી વિચાર મૂકી રહ્યા હોય, તેમણે જણાવેલો સંઘવિચાર હકીકતે તો હતું જેનદર્શન એ હિંદુત્વ-દર્શનનું કેવું ઊંડાણથી અને અસરકારક રીતે પરિચય કરાવનારું છે તેનો પરિચય મને ત્યારે થયેલો. તેમણે જેનદર્શનને ખરા અર્થમાં પચાવ્યું હોય તેમ લાગ્યું.
હિંદુત્વના સંદર્ભમાં ભારતીય જીવનમૂલ્યો કે હિંદુત્વનો વિચાર કેવી રીતે જૈનદર્શનમાં પડઘાય છે તેનો તેમણે અસરકારક શૈલીમાં પરિચય કરાવ્યો હતો. હિંદુત્વની વિચારધારામાં વણાઈ ગયેલ સત્ય, અહિંસા, સેવા, કરુણા, તપ, દાન આદિ ભાવને અને આપણી પરાક્રમ અને દાનશીલતાને તેમણે ઉદાહરણ સહિત સમજાવેલા. કુમારપાળભાઈનું આ દૃષ્ટિબિંદુ મને ખૂબ જ સ્પર્શી ગયું અને ત્યારથી તો અમે એકબીજાની ખૂબ નિકટ આવ્યા. તેઓ અહીં રાજકોટ આવ્યા હોય ત્યારે કે હું કર્ણાવતી – અમદાવાદ ગયો હોઉં ત્યારે ક્યારેક ક્યારેક નિરાતે મળવાનું અને વિચારોની આપલે કરવાનું બન્યા કરતું
એમની સાથેની નિકટતામાં અભિવૃદ્ધિ તો “૨૬૦૦મી મહાવીર જન્મ- કલ્યાણક મહોત્સવ ઉજવણી’ માટે ગુજરાત સરકારે નિયુક્ત કરેલી સમિતિના સભ્યથી થઈ. અમે એમની કાર્યવાહક સમિતિમાં પણ હતા. શ્રી શ્રેયાંસભાઈ શાહ, હું, શ્રી કુમારપાળભાઈ અને શ્રી બળવંતભાઈ જાની અવારનવાર મળતા અને વાર્તાલાપ કરતા. પણ એથીય વધુ નિકટતા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા “અહિંસા યુનિવર્સિટી’ ઍક્ટ બનાવવાની કામગીરીમાં અમારી વચ્ચે થઈ. “ગુજરાત વિશ્વકોશ'ના કાર્યાલયમાં એમની સાથે મળવાનું બનતું. આ સમયે પરિચય થયો તેમના ગુણોનો; જેવા કે સિદ્ધહસ્ત લેખક, વિદ્વત્તા, સાક્ષરતા. વળી સમયપાલનના આગ્રહી તેમજ સૌને પ્રેમથી હળવું.મળવું વગેરે. ક્યારેય તેમનામાં ઉતાવળાપણું, અસ્વસ્થતા કે અકળામણ જોવા મળ્યાં નથી. અહિંસા યુનિવર્સિટીના ઍક્ટ ઘડવાની પ્રક્રિયાએ અમને એકબીજાની ખૂબ જ નજીક લાવી દીધા. છેલ્લા એકાદ દાયકાથી અને તેમાંય છેલ્લાં બે-ચાર વર્ષથી એમને વાંચવાનું પણ ખૂબ બને છે.
ભારતીય જીવનમૂલ્યોને વર્તમાન સમય સાથે સાંકળીને આપણી સેવા. પરંપરા, દાનપરંપરા અને પરાક્રમ-પરંપરાને વિષય બનાવીને લખાતાં એમનાં લખાણો ખૂબ ગમ્યાં છે. તેઓ
197
પ્રવીણભાઈ ૨. મણિયાર