________________
જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મંત્રી તરીકે કુમારપાળ સાથે સંબંધ થયો, અનેક સમારંભોમાં સાથે મળતા રહ્યા. ૧૯૯૪માં શિકાગોમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ'માં અમે સાથે હતા. શિકાગોમાં વસતા મારા પુત્ર રશ્મિ ગાર્ડીને ત્યાં તેમનો ઉતારો હતો. અને એ રીતે કુમારપાળની ખૂબ નજીક આવવાનું બન્યું.
એમણે એમના પિતા પાસેથી સાહિત્યનો વારસો મેળવ્યો છે અને દીપાવ્યો છે. જયભિખ્ખુએ એમની લેખિનીથી સમાજ અને રાષ્ટ્રની ઘણી સેવા કરી, પરંતુ કુમારપાળે એમની લેખિની ઉપરાંત એમનાં પ્રવચનોથી પણ આ કાર્ય કર્યું. વિદેશમાં એમનાં પ્રવચનોની ખૂબ માંગ રહે છે અને ચાર ચાર વર્ષ અગાઉથી એમનાં પર્યુષણ પ્રવચનો નક્કી થઈ જતા હોય છે. આ બધું મેં નજરોનજર જોયું છે અને ત્યારે જ ખ્યાલ આવે કે વિદેશમાં વસતા આપણા ભાઈઓની ધર્મજિજ્ઞાસા અને સંસ્કારભૂખ બંનેને એમણે સુંદર રીતે સંતોષી છે.
મારા સમગ્ર કુટુંબ સાથે એમનો ગાઢ સંબંધ છે. એક અર્થમાં કહું તો હું એમને મારા પુત્ર સમાન માનું છું. પુત્રને ‘પદ્મશ્રી’ જેવો ખિતાબ મળે તો સ્વાભાવિક રીતે જ પિતાને કેટલો આનંદ થાય ! એટલો આનંદ મને કુમારપાળભાઈને મળેલા આ ખિતાબથી થયો છે. હજી એમની પાસે કામ ક૨વાનાં ઘણાં વર્ષો બાકી છે અને એ દરમિયાન તેઓ સાહિત્ય, સમાજ, શિક્ષણ અને ધર્મનાં ક્ષેત્રોમાં વધુ ને વધુ પ્રગતિનાં ઊંચાં સોપાનો સર કરે એવી ભાવના રાખું છું.
164
પુત્રવત્ મિત્ર