SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (આગમનાં અજવાળાં) લેખક :- પૂ. પં. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવર્ય. આવો છેઃ મહિમા શ્રુતજ્ઞાનનો : શું આપ જીવનમાં સાચું સુખ પામવા લાલાયિત છો? શું આપ જિંદગીને સાચી શાંતિથી મઢી દેવા માંગો છો? હા... તો તે માટે તો કર્મોની જાલિમ કેદમાંથી શાશ્વત છુટકારો મેળવવો જ રહ્યો. શ મળે કર્મોના બંધનમાંથી શાશ્વત મુક્તિ? તે માટે પહેલાં તો કર્મબંધનાં કારણોની યથાર્થ જાણકારી પામવી પડે. આપ જો મોક્ષમાર્ગના પથિક હો તો આપે કર્મબંધનાં કારણો (આશ્રયસ્થાનો) ને સમજવાં જ રહ્યાં. પ્રભુ વીતરાગનું શાસન મોક્ષમાર્ગની આરાધના માટે છે અને તે માટે સદ્દગુરુનાં ચરણોમાં બેસવું પડે. ત્યાં બેસીને શ્રુતજ્ઞાન-ગંગામાં ડૂબકી મારવી પડે. આવા શ્રુતજ્ઞાનના અર્થથી દાતાર છેઃ પરમ તારક શ્રી તીર્થંકરદેવો અને સૂત્રથી તેના ગૂંથનારા છેઃ ગુણનિધાન ગણધર ભગવંતો. હા.. વિષય (= સન્થ), પ્રમાણ (કોન્ટિટી) અને સ્વરૂપ (-ફોર્મ) આ ત્રણની અપેક્ષાએ કેવળ જ્ઞાનના અનંતમા ભાગે છેઃ શ્રુતજ્ઞાન. છતાં.. સ્વ અને પરનું કલ્યાણ કરનાર તરીકે તો શ્રુતજ્ઞાન સર્વોત્તમ છે. મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ જ્ઞાન.. આ પાંચેય જ્ઞાનમાં ‘શ્રુતજ્ઞાન,' “સર્વશ્રેષ્ઠ અને ‘સર્વોત્તમ' વિશેષણોથી વિભૂષિત છે. માટે જ તો કહ્યું છે ને કે.. “ચઉ મૂંગા શ્રત એક છે... સ્વ-પર પ્રકાશક ભાણ.” (અર્થઃ ચાર જ્ઞાન-મતિ, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ ચાર ‘મૂકે છે અને ‘શ્રુતજ્ઞાન માત્ર એક જ સ્વ અને પર-પ્રકાશક ભાન જેવું હિતકારક છે.) પરમોપકારીઃ શ્રી શ્રુતજ્ઞાન શ્રી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા શ્રતજ્ઞાનની ઉત્પત્તિના આધારે જ થાય છે. જ્ઞાનાચારની મર્યાદાઓનું પરિપાલન કરાવનાર છેઃ શ્રુતજ્ઞાન. આત્માના અનંત ગુણોના આવારક મોહનીય કર્મના આવરણને ભેદવા સુસમર્થ છે: શ્રુતજ્ઞાન. વિષમ કરાળ કળિકાળમાં પણ જ્ઞાની પુરુષની પુણ્યનિશ્રાને પામીને અનેક આરાધકોપુણ્યાત્માઓ જીવનનું સાફલ્ય સંપ્રાપ્ત કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ છેઃ શ્રુતજ્ઞાન. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy