SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બસ્મિલ કુમાર. તેમ ઉછૂબળ પુરૂષે અહીં રહી શક્તા નથી. પંકજનેને જુલ્મીઓ હેરાન કરતા નથી. પરંતુ સમભૂતિ નામના વિપ્ર સાથે મારા ધણુએ દેશાવરથી કાગળ આદિ મોકલ્યું છે તે હું લેવા ગઈ છતાં ન આપ્યું ને યઢા તઢા બાલવા લાગ્યો, તે તમારા જેવા ન્યાયી પુરૂષ અપરાધીને શિક્ષા કરનારા છતાં એ દ્વિજ બે જીલ્લા ધારણ કરતે જેમ તેમ મને બોલે છે માટે એને આપે શિક્ષા કરવી જોઈએ.” શીળવતીને જોઈને મદનના મારથી મુંઝાયેલ એ તલારક્ષક શીલવતીની વાણી સાંભળીને કહેવા લાગ્યા–“સુંદરી! તારી બધી વાત સાચી ! એ બ્રાહ્મણને હું શિક્ષા કરીશ; પરન્તુ તે પહેલાં મારૂં કાંઈક ધારીશ કે?” છેડ બલા તો કે પકડ ગલા.” બ્રાહ્મણના ભયમાંથી છુટવાને તે કોટવાળ પાસે આવી તે અહીં પણ ઉલટી સપડાઈ ગઈ. તે વિચારવા લાગી કે–“રાજાના નગરનું ચેરાદિકથી રક્ષણ કરનાર આ કેટવાળ પિતેજ કામદેવથી લુંટાઈ રહ્યો છે તે તો જોઈ શકતો નથી. આવે સમયે જે હું એની નિર્ભર્સના કરીશ તો કદાચ મારી ઉપર બળાત્કાર કરશે. તે એને અહીં કેણ વારનાર છે? માટે કોઈ પણ ઉપાયે એને પણ સાધ્ય કરવા.” એમ વિચારી શીલવતી બેલી“રાત્રીને બીજે પહેરે તમે મારે ઘેર આવજે.” શીલવતીનાં એ વચન સાંભળી તલારક્ષક ખુશી થયો ને તેને રજા આપી. પાશમાંથી મુક્ત થયેલું પક્ષી જેમ નીકળે તેમ તલાકને ત્યાંથી નીકળીને તે સત્વર પ્રધાનના ભવને ગઈ. પ્રધાન પણ એને જોઈને મદનાતુર થયો. એ કામાતુર પ્રધાન આગળ એણે બ્રાહ્મણની અને તલારક્ષક-કેટવાળની ફરિયાદ કરી અને તેમને શિક્ષા કરવાને એણે પ્રધાનની મદદ માગી; જેથી પ્રધાને કહ્યું-“સુંદરી! તારું કામ હું કરી દઉં, પણ તે પહેલાં તું મારી અનંગ પીડા સમાવતી જામારું કલેજુ ઠંડુ કરતી જા.” પ્રધાનની આવી વાણી સાંભળીને એ વિલક્ષ થઈ ગઈ. પોતાના શિયલની રક્ષા માટે પ્રધાનને રાત્રીને ત્રીજે પહેરે આવવાને જણાવ્યું. તે પછી તે સિહના પંજામાંથી મગહી છે
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy