SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદના સ્ફાટ. ૧ વાને તૈયાર થયા, તે સમયે તેની ખાળચેષ્ટા ત્યાં થઇને ગગનમાં જતા એ વિદ્યાધરાના જોવામાં આવી, જેથી તેમણે મત્રના બળે કરીને મજરી-શ્યામલતાને જીવતી કરી ને વિદાય થયા. પછી કુંવર તેને લઇને કામદેવના મંદિરમાં આવ્યેા. "" મુનિનાં વચન સાંભળીને કુમારે કહ્યું. “ ભગવન્ ! તે કુંવર પેાતેજ. આ સર્વે મારૂ જ વૃત્તાંત છે. પછી આગળ શું થયું ?” “ આગળ ! કામદેવના મંદિરે આવી પ્રિયાને તેણે પેાતાનુ વસ્ત્ર પાથરીને સુવાડી; પણ પ્રિયા ઝડથી ધ્રૂજતી હાવાથી તેણીએ કહ્યું –“ -“ સ્વામી ! ઠંડી ઘણી લાગે છે ! અગ્નિ લાવેા. ” પ્રિયાનુ વચન અંગીકાર કરીને તે અગ્નિ લેવાને ગયા અગ્નિ લઇને આવતાં તેણે મ ંદિરમાં દીપક જોયા. કુંવર અગ્નિ લેવા ગયા તે સમયે આ છ ચારબંધુએ અંધકારમાં મંદિરની અંદર છુપાયેલા હતા. તેમાંથી એક જણે તે સ્ત્રીને . જોવાને માટે દીપક પ્રગટ્યો. દીપકના પ્રકાશમાં તે સ્ત્રીએ તેને જોયા, તેણે સ્ત્રીને જોઈ, અન્નેનું તારામૈત્રક થયુ. મંજરી ચારને જોઇ મેાહ પામી. ઉડ્ડીને તેને ખાઝી પડી. “ આજથી તુજ મારા સ્વામી, તારા સૌંદર્ય માં હું... દીવાની ખની છું. તુ કાણુ છે તે કહે. રાજકુંવરની સાથે વિલાસ કરતાં મારો જન્મ અફળ ગયા છે, માટે તું મારી પ્રાર્થના ભંગ કરીશ નહિ. ,, ' તેણીનાં વચન સાંભળીને તે ચારે કહ્યું. “ તારા ધણીએ અમારા વડીલ બંધુના નાશ કર્યા છે. આજે તારા સ્વામીને મારી અમારા ખંધુનું વેર લઈ પછી તને ગ્રહણ કરશું. ,, e પછી તે રમણીએ કહ્યું “ આહા! ઘણું જ ઉત્તમ ! એથી વિશેષ ખજું શું ઉત્તમ હાય ? તમારી એ ઇચ્છા પરિપૂર્ણ થાએ. હું પોતેજ તેને હણીને તમને સુખરૂપ થઇશ.” એવી રીતે આશ્વાસન આપીને તે સ્ત્રીએ તેમને પ્રચ્છન્ન રાખ્યા, એટલામાં પતિને અગ્નિ લઇને આવતાં જોયા, એટલે દીપક બુઝવી પાતે સુઇ ગઇ. પતિએ આવીને પૂછ્યું તે તેણીએ કહ્યું કે “ તમારી અગ્નિનું પ્રતિબિંબ પડવાથી તમને દીપક જણાયા હશે.” રાગાંધ પતિએ તે વાત સત્ય માની,
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy