SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શિવવિપ્ર. ચ્ચિારમાં પડવાથી ક્ષેત્રની ને ગાયની રક્ષાનું કાર્ય તેણે છોડી દીધું. એ ગર્ભવતી ગાય ઘાસ પાણે વગર મરણને વશ થઈ ગઈ, ને તેને બદલે આ સોમશર્મા યારની સોબતથી ગર્ભવંતી થઈ. શાલિનું તૈયાર થયેલું ખેતર પણ નકામું થઈ ગયું, નિંદવાયેગ્ય પાઓથી ભરાઈ ગયું. દીકરો નટ થઈ ગયે, ગર્ભવંતી દીકરી ત્યારની સાથે પલાયન કરી ગઈ. કેટલેક દિવસે તે શિવ બ્રાહ્મણ થોડુંએક ધન એકઠું કરીને ઘરની સંભાળ લેવાને આવ્યું, પણ તણે ઘરે કોઈને જોયું નહિ. તેણે પિતાનું ઘર બધું તપાસ્યું ને કંઈ ન જેવાથી આશ્ચર્ય પામ્યું. પાડોશીને તેણે પૂછયું–“ભાઈ! આ બધું શું થઈ ગયું ?” પાડેશીએ તેની ઉપર કરૂણા લાવીને આઘંત સર્વે હકીક્ત કહી સંભળાવી. એક કમાંજ તેને બધા તેના ઘરને ભરમ સમજાવી દીધો. सोमदेवो नटो जातः, सोमशर्मा च गुर्विणी । शालि व प्रस्तृणैर्छन्नो, न प्रसूता च रोहिणी ॥ १॥ અર્થ–સોમદેવ નટ થયો, સોમશર્મા ગવંતી બનીને ભાગી ગઈ. તારા શાલિ નકામા પાઓના ભરાવાથી કસ વગરના થયા ને રોહિણી ગાય પ્રસવ્યા વગર યમપુરીમાં વિદાય થઈ.” આ વૃત્તાંત સાંભળીને જન્મથી પિતાનું વૃત્તાંત સંભારત તે બ્રાહ્મણ ઘરમાં રહેવાને અસમર્થ હોવાથી વનમાં જઈ પોકે પોક મૂકીને રડ્યો. વૃક્ષોને પણ પોતાના દુખથી રડાવતે એ વિપ્ર હદયનો ઉભરે શાંત થતાં કંઈક શાંત થયે; એટલામાં તેના ભાગ્યમે કઈ કૃપાળુ મુનિ ત્યાં આવ્યા. તેમણે પ્લાન મુખવાળે અને દુઃખનું મંદિર એ તેને જોઈને પૂછયું-“હે ભદ્ર! કેમ બાળકની માફક રડે છે?” જવાબમાં બ્રાહ્મણે પોતાનું દુખપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારે મુનિ બેલ્યા. “હે ભદ્ર! રડ નહિ. ધીરજ ધર. કેની લક્ષ્મી? કેની પુત્રી? કેનું ઘર? એમ વિચારકર. એ વસ્તુઓ આ જીવે ભવેભવ મેળવી અને છેડી છે. પોતાની દષ્ટિના બ્રમથી–કાણુપણાથી આ કાશમાં એક ચંદ્ર છતાં જેમ બે દેખાય છે, તેમ મેહથી મુગ્ધ થયેલા
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy