SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯]. बहुशोभमानामुमा शैमवती [ સિદ્ધાન્તકારડ લ૦ ગીe અ૦ ૩/૩ સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કિવા છ—ક્તિ તે આ જ તેને જ બ્રહ્મનિષ્ઠા૫ બ્રાહ્મી સ્થિતિ કહે છે. આ સ્થિતિની એક વખત પ્રાપ્તિ થઈ એટલે પુરુ કૃતકૃત્ય બની જાય છે અને ફરીથી કદી પણ મેહને પામતા નથી, એટલું જ નહિ પણ તેને અંતકાળમાં એટલે છેવટે પણ બ્રહ્મસ્વરૂપમાં એક્ત થવા રૂપ નિવણુ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. અથવા આ બ્રાહ્મી સ્થિતિને પામનારો કૃતકૃત્ય અને જ્ઞાતય પુરુષ કાળના અંતને પામેલ હોવાથી એટલે તે કાળ દેશાદિ મર્યાદાથી પણ પર એવા બ્રહ્મની સાથે સંપૂર્ણ તદાકાર બની સદાને માટે નિર્વાણ કેટિને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મી સ્થિતિ તે આ જ, અધ્યાય રૂમ અને થર-- ज्यायसी चेरकर्मणस्ते मता बुद्धिर्जनार्दन । तरिक कर्मणि पोरे मां नियोजयसि केशव ॥ १ ॥ व्यामिश्रेणेव वाक्येन बुद्धि मोड्यसोब मे । लदेकं बई निमित्य येन प्रयोऽहमाप्नुयाम् ॥ २ ॥ ગમે તે એક કહે અર્જુન કહે છેઃ ભગવન ! આપે અત્યાર સુધી કહેલા જ્ઞાનને એક જ સાર મને જણાય. આપે બતાવેલ બુદ્ધિની સમતાપ સાંખ્ય કિંવા જ્ઞાનના વિચારથી મને તે એમ લાગે છે કે, બંનેમાં કામ કરતાં બુદ્ધિની સમતારૂપ સંખ્ય વા જ્ઞાનયોગને માર્ગ જ વધુ એક છે, એ આપને મત છે; વળી આ બુદ્ધિની સમતારૂપ યેમમાં તે કર્મ કરવાં અથવા ન કરવાં એ બંને બાબતે એક સરખી જ જણાય કર્મ થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. આમ એક તરફ બુદ્ધિની સમતાપ જ્ઞાનયોગને બેધ કરે છે તથા બીજી તરફ તે તું કર્મ કર એવો આગ્રહ કરી રહ્યા છે, તે પછી તે કેશવ! મને આ ઘોર કમમાં શા માટે જોડે છે? જો હું કેવળ આપે કહેલા બુદ્ધિની સમતારૂપ જ્ઞાનયોગનો આશ્રય કરું તે શું તે બસ નથી? આ રીતે વ્યામિત્ર એટલે બેતરફી ભારણુ વડે ઊલટું મારી બુદ્ધિને આપ મોહ પમાડી રહ્યા છે; માટે આ બે પિકી જેમાં મારું એય એટલે કલ્યાણ હેય એવું નિશ્ચયપૂર્વક ગમે તે એક જ કહે. શ્રીમળવાનુવાદ– શનિષા ગજા કુલ રજા અપાઇપ 1 पानयोगेन सायानां कर्मयोगेन योगिनाम् ॥ ३ ॥ આ લેકમાં બે પ્રકારની નિષ્ઠા છે શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુને ! આ લોકમાં કર્મયોગ અને જ્ઞાનયોગ એવી બે પ્રકારની નિષ્ઠાઓ છે. તે બંનેનું મેં અત્યારસુધી તારી આગળ નિરૂપણ કરેલું છે, નહિ કે એકલા બુદ્ધિ કિંવા જ્ઞાનેગનું; જગતમાંના તમામ કે જ્ઞાન અને કમ એમ બે નિષ્ઠાઓમાં જ સ્થિત થયેલા જોવામાં આવે છે, તે ૬t
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy