SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ બાળકો, એક ગાય અને તેનું વાછરડું તમે અમને સાતેયને મોતને ઘાટ ઉતારી દઈ શકો છો, પરંતુ નરસંહારના કાર્યમાં હું જરાપણ ભાગ નહીં લઉં.” આ ઉત્તર સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે ભરાયા અને, “સારુ, તને પછીથી જોઈ લઈશું,” એમ કહીને ચાલ્યા ગયા. ફૂલિયાનો સમગ્ર પરિવાર ધર્મકળાનો અભ્યાસી છે. તેની પત્ની અને બાળકો જાડી ખાદી પહેરે છે અને જાતે કાંતે છે. તેની પત્ની જીવનની જરૂરિયાત માટે ઘરેણાંને અનુપયોગી સમજીને પહેરતી નથી. ફૂલિયાની પત્ની અને પુત્ર સુશીલ, આજ્ઞાકારી, વિનીત અને સંસ્કારી છે. તેઓ પણ ફૂલિયાના આ ધર્મમય જીવનનિર્માણના યજ્ઞમાં પૂર્ણ સહયોગ આપે છે. આ છે વિચાર, આચરણ અને વ્યવહારમાં ધર્મકળામય જીવનનું જ્વલંત ઉદાહરણ ! તમારી પાસે સંપત્તિ ભલે થોડી હોય. સુખનાં સાધન ભલે અલ્પ હોય, પરંતુ પાંચેય ઈદ્રિયો મન, બુદ્ધિ, હૃદય વગેરે વિશળ શક્તિશાળી સાધનોથી યુક્ત માનવજીવન તો છે ને ! તમે આ જીવનને ધર્મકળાથી ઓતપ્રોત બનાવશો તો તમારા કલ્યાણમાં કોઈ અવરોધ નહીં આવે. તમારું જીવન બીજાને માટે અનુકરણીય બનશે. સ્થળ : ચોપાટી મેદાન મુંબઈ સમય : વિ.સં. ૨૦૦૯, આસો વદ ૪ ધર્મકળામય જીવન ધર્મકળામય જીવન - ૨૫ ૨૨૫
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy