SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ માતાએ પૂછ્યું, “બેટા ! મને બતાવ કે આ ધન તું કેવી રીતે અને ક્યાંથી લાવ્યો ?” સહગ્નમલ બોલ્યો, “મારી કળાનાં સ્વમુખે શું વખાણ કરું ? તું સવારે નગરમાં જઈને જાતે જ આખી ઘટના વિશે સાંભળી લેજે. મારી કળાની તને પહેચાન મળી જશે. સહસમક્ષ ચોરની માતા સવારે નગરમાં ગઈ, તો ત્યાં બુમરાણ મચી હતી, કે કોઈ ધૂર્ત ચોર પુરોહિતના ઘરમાંથી ઘણો માલ ચોરી ગયો છે.” વાત ફેલાતી ફેલાતી રાજાના કાન સુધી પહોંચી. રાજાએ પોતાના સૈનિકોને તેની શોધ કરવાનો હુકમ આપ્યો. બીજી બાજુ પેલો ધૂર્ત ચોરે વેપારીના વેશમાં રાજદરબારમાં જઈને પ્રતિજ્ઞા કરે છે કે, “હું ચોરને પકડીશ.” એક વાળંદે પણ એવી જ પ્રતિજ્ઞા કરી. ચોરની માતાએ પાછા ફર્યા બાદ શહેરમાં ફેલાયેલી અફવાઓની વાત પોતાના પુત્રને કહી. ચોર સજ્જન વેપારીનો વેશ પહેરીને પેલા વાળંદ પાસે ગયો. વાળંદે તેને શાહુકાર સમજીને તેનો આદર-સત્કાર કર્યો. સજ્જન વેપારીનો વેશ પહેરીને આવેલા ચોરે વાળંદને કહ્યું, “તમારા પુત્રને મારાં કપડાંની દુકાન પર મોકલો. હું તેને થોડું કાપડ ભેટ આપીશ.” વાળંદનો પુત્ર ત્યાં ગયો, તો વેપારીએ તેને કાપડ બાંધી આપ્યું અને કહ્યું, ““અત્યારે તો તું ઘેર જા. તારા પિતાજીને ચોરની શોધ કરવાનું કહેજે. હું પછીથી આ કાપડ તારા ઘેર મોકલી આપીશ.” આ રીતે મીઠી-મીઠી વાતો કરીને પોતાની ચોરી પર પડદો પાડી દીધો અને ચાલાકીથી તે ચોર દંડમાંથી ઊગરી - છટકી ગયો. શું આ ચૌર્યકળા જીવનને સરસ અને સુખદાયી બનાવે છે ? ચોરીની કળામાં સહસ્રમલ્લને કેટલી ચિંતા, કેટલો ભય અને કેટલી ચાલાકી કરવી પડતી હતી ! આ તે કંઈ જીવન છે ? આવા જીવનમાં મસ્તી કે શાંતિ તો હોતી જ નથી. આના બદલે સહઝમધ્ય પોતાના જીવનને ધર્મકળામાં નિપુણ બનાવત, તો તેનું જીવન કેટલું સુખશાંતિમય અને મસ્ત થઈ જાત ! જેવી રીતે આપણા પગમાં કાંટો વાગવાથી કે આંખમાં ધૂળનો કણ . ધર્મળામય જીવન ૨૧૫ . - આ કાપડ લગાનારા પિતાજગી આપ્યું
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy