SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાએ કહ્યું, “તે ભૂત નહીં, બલ્ક ધૂર્ત હશે. એ ચોરી કરવા આવ્યો હશે, પણ અવાજ થતાં નિશ્ચષ્ટ થઈ ગયો હશે. એનાં નાક-કાન કાપી લે. તરત જ ખબર પડી જશે કે ભૂત છે કે ધૂર્ત ?” શેઠનો પુત્ર છરી લઈને ચોરનાં નાક-કાન કાપવા ગયો, પણ ચાલાક ચોર એ સમયે સહેજે હાલ્યો ચાલ્યો નહીં. એકદમ ચૂપચાપ પડ્યો રહ્યો. શેઠના પુત્રે માની લીધું કે આ મૃતદેહ જ છે, તેથી તેણે બહાર કાઢેલા ધનને ફરી ખાડામાં દાટી દીધું અને ખાડાને બરાબર પૂરીને પિતા પાસે પાછો આવ્યો. પિતાને બધી વાત કહી. પિતાને પણ વિશ્વાસ બેઠો કે તે મૃતદેહ જ છે. આ બાજુ લાગ જોઈને ધૂર્ત ચોરે ખાડામાંથી ધન કાઢી લીધું અને તે લઈને ભાગી ગયો. સવારે શેઠનો પુત્ર આવીને જુએ છે તો ધન ન મળે ! તેણે વિચાર્યું કે પેલો મૃતદેહ બનેલો ચોર જ આ ધનને લઈ ગયો છે. તેણે ચોરનો પીછો કર્યો. ચોર ગામની બહાર જંગલમાં જ થોડે દૂર જતાં મળી ગયો. શેઠના પુત્રએ પૂછયું, “સાચેસાચું કહેજે. જ્યારે હું તારાં નાક-કાન કાપી રહ્યો હતો, ત્યારે પણ તું નિશ્રેષ્ઠ અને ચુપચાપ કેવી રીતે કષ્ટ સહન કરતો હતો ?” ચોર બોલ્યો, “આવે સમયે ચોર માટે રડવું-કકળવું સદંતર વર્ષ છે. જો હું રડ્યો હોત, તો મારી ચોર-કળા બદનામ થઈ જાત. ખેર ! મારી એટલી વાત માનવાની તમને વિનંતી કરું છું કે તમે આ વાતની જાણ રાજદરબારમાં કરશો નહીં. હું તમને આમાંથી અર્ધ ધન પાછું આપું શેઠનો પુત્ર સહમત થયો અને અર્થે લઈને ઘેર પાછો ફર્યો.” સહગ્નમલ ચોરની માતાએ આ દષ્ટાંત આપીને પુત્રને કહ્યું, “બેટા ! આ રીતે ખરા ચોરે ક્યારેય રડવું કે ડરવું જોઈએ નહીં. હિંમત વિના ચોરી થઈ શકે ખરી ?” અંતે હિંમત કરીને સહસ્રમલ્લ ચોર વેશપલટો કરીને પુરોહિતના ઘરમાં ચોરી કરવા ગયો. અહીં એને ઘણી મિલકત મળી. એ લઈને તે પોતાની માતા પાસે આવ્યો. ૨૧૪ રત્નત્રયીનાં અજવાળાં
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy