SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત પૂછ્યું, “પંડિતજી, સ્નાન કરવા માટે પાણી લાવું? પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, “અરે ! તમે લોકો એટલું પણ સમજતા નથી કે જ્યાં જ્ઞાનગંગા વહેતી હોય, ત્યાં સ્નાન કરવાની શી જરૂર ?” તે ભક્ત કોઈ કાચાપોચા ગુરુનો ચેલો ન હતો. તેણે એ વેદાંતીની પરીક્ષા કરવાનું વિચાર્યું. તેણે પોતાની પત્નીને એવું ભોજન બનાવવા કહ્યું કે જેનાથી ખૂબ તરસ લાગે. એ પછી પંડિતજીને પોતાના ઘેર લાવીને ભક્ત આગ્રહભેર ભોજન કરાવ્યું. પંડિતજીએ પણ પેટ ભરીને ભોજન કર્યું. ભોજન કર્યા બાદ બાજુના ખંડમાં તેમના માટે પથારી તૈયાર રાખી હતી, ત્યાં જઈને આરામ કરવા લાગ્યા. પંડિતજીને ગાઢ નિદ્રા આવી, ત્યારે ભક્ત ધીરેથી બહારથી બારણાંનો નકુચો બંધ કરી દીધો. પંડિતજી ઊડ્યા ત્યારે તેમને ખૂબ તરસ લાગી હતી. તેમણે આજુબાજુ પાણી ન દેખાતાં ભક્તને બૂમ મારી, “ભાઈ, મને ખૂબ તરસ લાગી છે. જલદી પાણી આપ.” પંડિતજીની આ વાત સાંભળીને ભક્ત કહ્યું, “પંડિતજી, જ્ઞાનગંગા વહી રહી છે તેમાંથી લોટો ભરીને પી લો.” વેદાંતી તો ગભરાઈને ચૂપ થઈ ગયા. તે ઝંખવાઈ ગયા અને વિચાર્યું, “આ તો મને માથાનો મળ્યો છે.” આખરે પોતાની ભૂલ કબૂલ કરીને ભક્ત પાસે પાણી મંગાવીને પીધું અને તરસ છિપાવી. આવી રીતે ઘણા લોકોની જીભ પર શાસ્ત્રોનાં વચનો રમ્યા કરે છે, પરંતુ તેમની એ દાર્શનિકતા કે જ્ઞાનવાદિતા વાતોમાં જ રહે છે, જીવનમાં તો માત્ર એક બિંદુ જેટલી જ હોય છે. આચરણ વગર એ સિદ્ધાંતોની કિંમત એક કોડી જેટલીય નથી હોતી. આજે ઘણા લોકો મોટાં મોટાં ભાષણ આપે છે, પરંતુ તદ્દનુસાર આચરણ નથી હોતું અથવા તેનાથી ઊંધું જ હોય છે. આવા લોકોનાં ભાષણની છાપ અવળી પડે છે. ચરિત્રવાન વ્યક્તિનાં જ ભાષણની છાપ પડે છે, ચરિત્રહીનની નહીં. એ ભૂલીએ નહીં કે દરેક જગ્યાએ વ્યક્તિના ચારિત્ર્યની છાપ પડે છે, ધન કે અન્ય કોઈ વસ્તુની નહીં. એક વાર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની અધ્યક્ષતામાં ત્નત્રયીનાં અજવાળાં. ૧૯૬
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy