SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિકૃતિઓ (પહેલાં બતાવેલા વિકૃતિજનક પદાર્થો) નથી લેવામાં આવતા, અને વીસ કલાકમાં ફક્ત એકવાર જ મસાલા કે રસ રહિત લૂખું ખાવાનું ખવાય છે. તેમાં પીવા માટે અચિત્ત (ઉકાળેલું) પાણી ઉપયેગમાં લેવાય છે. રસ પરિત્યાગ – તપને મુખ્ય ઉદ્દેશ સ્વાદ–વિજય છે. મહાત્મા ગાંધીજીએ આશ્રમવાસીઓ અને રચનાત્મક કાર્યકર્તાઓને માટે અસ્વાદ” નામનું એક વ્રત નિયત કર્યું હતું તેમના આશ્રમમાં કઈ જાતના મસાલા (મીઠું, મરચું, હળદર અને ઘાણા વગેરે) લેવાનું આશ્રમવાસીઓ માટે નિષિદ્ધ હતું. જે કોઈ આગંતુકને મીઠું લેવું હેય તે તેને માટે છૂટ આપવામાં આવતી હતી. બ્રહ્મચર્ય પાલનને માટે ગાંધીજી “સ્વાદ-વિજય અને મસાલા-મરચાને ત્યાગ જરૂરી માનતા હતા. રસભમાં ફસાઈને મનુષ્ય વધુ પડતું ખાઈ લે છે, ને તેને પરિણામે અર્જીણ વગેરે રોગ પણ થાય છે. આથી રસ-પરિત્યાગનું તપ પણ જીવનને માટે આવશ્યક છે. - રસ-પરિત્યાગના તપને સીધે પ્રભાવ સ્વાદેન્દ્રિય અને પેટ પર પડે છે. મારવાડના તિવરી ગામમાં એક શ્રાવક રહેતા હતા. તેમની માતા અંધ હોવાથી એકવાર ખીચડીમાં મીઠું વધુ પડી ગયું. તેઓ જ્યારે ભેજન કરવા બેઠા ત્યારે તે જ ખીચડી પીરસવામાં આવી. તેઓ શાંતિથી ખાઈને ચૂપચાપ ચાલ્યા ગયા. પાછળથી તેમની માતાએ ખીચડી ખાધી તે કડવી લાગી. તેમણે પોતાના પુત્રને લાવીને ક્ષમા માગી. આ છે સ્વાદ-વિજયનું ઉદાહરણ! કાયકલેશના લાભ પિતાના અને બીજાના ઉત્થાન અને કલ્યાણની સાધનાને માટે શુદ્ધ ધર્મનું પાલન તાપૂર્વક કરવા જતાં કાયા કિલષ્ટ થાય, થાકી જાય કે કષ્ટ સહન કરવું પડે તેને કાયકલેશ તપ કહેવામાં આવે છે. આપણે અગાઉ જોયું કે શરીરને મારવું અથવા કચડવું તે કેઈપણ પ્રકારના તપને ઉદ્દેશ નથી, પરંતુ શરીરને સાધવાનું છે. આ દષ્ટિથી 0 ' એજિસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy