SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શકીએ. પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ આવશ્યક છે. આથી જ તેને છે આવશ્યકોમાં એક આવશ્યક ગણવામાં આવ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ તે અવશ્ય કરવા ગ્ય છે. સાધુ-સાધ્વી રેજેજ આવશ્યક ન કરે તે એમને માટે પ્રાયશ્ચિત્ત હોય છે, પરંતુ શ્રાવક-શ્રાવિકાને આ કેઈ નિયમ લાગુ પડતો નથી. એક કાર્યોત્સર્ગ લોગસનાં પચીસ પદના ઉચ્ચારણ સુધી અથવા તે પચીસ વાર શ્વાસોચ્છવાસ લેવા સુધી જરૂર અટકવું પડે છે. કાયેત્સર્ગ માટે લોગસ્સ (ચતુવિ શતિસ્તવ)ને પાઠ નિયત કરેલ છે. જેમાં “વન્ટે નિમ્મર' સુધી ૨૫ પદ હોય છે. એક પદને એક શ્વાસે શ્વાસ માનવામાં આવે છે, એટલે કે એક પદ એક શ્વાસોચ્છવાસમાં મનમાં બોલવું જોઈએ. કેઈ કાર્યોત્સર્ગમાં “સારવાર મીરા સુધી બોલવું પડે છે અને અહીં સુધી ૨૭ શ્વાસોચ્છવાસ ગણાય છે. જ્યારે “શાન્તિ વગેરે માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે લોગસ્સને પૂરેપૂરો પાઠ બેલાય છે. ક્યારેક વિશિષ્ટ પર્વ પ્રસંગે પ્રતિક્રમણ (આવશ્યક)માં કાયોત્સર્ગ આવશ્યકમાં ચાર લેગસ્સને બદલે વધુ લેગસ્સને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. પકખી (પાક્ષિક) પ્રતિકમણમાં ૩૦૦ પદો (શ્વાસોશ્વાસે)ને અર્થાત્ બાર લેગસ્સને, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પ૦૦ પદો (શ્વાસોચ્છુવાસે)ને એટલે કે વીસ લેગસ્સને અને સાંવત્સરિક પ્રતિકમણમાં ૧૦૦૮ પદો(શ્વાસે છૂવા)ને એટલે કે ૪૦ લેગસ્ટ (૧૦૦૦ પદ) અને એક નવકાર મંત્ર આઠ પદ)ને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. વળી કેઈ ઉપસર્ગના સમયે અથવા તે એર્યાપથિક (ગમનાગમનના) પ્રતિક્રમણ વખતે કોત્સર્ગ કરવાનું હોય છે. આ બધા કાર્યોત્સર્ગ અપ્રુવ કાયોત્સર્ગ કહેવાય છે. આ ઉપરાંત કેઈ પણ સમયે. પિતાની ઈચ્છા મુજબ સાધનામાં પ્રગતિ કરવા માટે કે કાયાને સાધના. માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તેમાં કેઈ આપત્તિ નથી, બલકે લાભ જ છે. 310 ઓજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy