SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું મૂળ : વિનય તમને ખ્યાલ હશે કે પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાં સમુચ્ચયમાં ક્ષમાપનાના સમય આવે છે ત્યારે નાના મેટાની ક્ષમા માગે છે અને જ્યાં પ્રત્યેક ક્ષમાપના(ખામાં) આવે છે ત્યાં એવા ક્રમ છે કે પહેલા આચાય બધા નાના સાધુઓની ક્ષમાયાચના કરે અને એ પછી એમનાથી નાના અને ત્યાર બાદ એમનાથી પણ નાના હાય તે ક્ષમાપના કરે. આનો અર્થ એ થયો કે જે સૌથી નાના છે તે સૌથી છેલ્લે ખમાવશે અને જે સૌથી મોટા છે તે સૌથી પહેલા ખમાવશે. ઉદ્દેશ એ છે કે મોટા સાધુમાં つ આવું શા માટે ? આને અભિમાન જાગે નહીં. આચાર્યના મનમાં એવા ભાવ હાવા જોઈ એ કે “તું ઉત્કૃષ્ટ પુણ્યખળને કારણે આચાર્ય બન્યો છે અને ઉત્કૃષ્ટ પુણ્ય તા વિનયના પ્રશસ્ત ભાવથી જ પ્રાપ્ત થાય છે. અભિમાનીમાં કયારેય પ્રશસ્તભાવ આવશે નહીં. આથી હવે વિનય-ગુણને કેમ છેડી શકાય ? તને આચાર્ય બનાવનાર જ સાધુએ છે.” આચાય જ્યારે પેાતાનાથી નાના હાય તેની ક્ષમાયાચના કરતા હાય ત્યારે નાના સાધુના મનમાં પણ કાઈ તુચ્છ ભાવના રહેતી નથી. એ પણ પેાતાના પૂજ્યો તરફ પૂર્ણ વિનય દાખવે છે. હવે વાચનાના વિષયમાં એક સવાલ એ ઊભેા થાય છે કે જો. કોઈ ગચ્છ કે સંપ્રદાયના સાધુ-સાધ્વી ભણેલાં ન હોય તેા શુ' કરવું ? અથવા તેા કોઈ સાધુ-સાધ્વી ભણેલા હોય, પરંતુ બ્ય બાબતમાં સમય ગાળતાં હોય તે! કોઈ ગૃહસ્થ પડિતે એમને ભણાવવાં જોઈ એ. કે નહિ ? જો કોઈ ગૃહસ્થ પડિત એમને ભણાવવા જાય તે એ ગૃહસ્થને વંદન કે વિનય કરવા સાધુ-મર્યાદાથી પ્રતિકૂળ બનશે. આવી સ્થિતિમાં કયો એવા મધ્યમ મા નીકળી શકે કે જેથી જ્ઞાન તરફ્ અવિનય થાય નહી' અને સાધુએની મર્યાદા જળવાય ? જૈન સમાજનું એ દુર્ભાગ્ય છે કે એમાં મહુ આછા ભણેલાગણેલા વિદ્વાન મળે છે. વળી કેાઈ ગૃહસ્થ પડિત કે વિદ્વાન હોય તે 186 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy