________________
નવ
સ્વાધ્યાયનું પ્રથમ સોપાન
તપરૂપી ભવનને સૌથી ઊંચો મજલે તે સ્વાધ્યાય-તપ, તપ ઓછુંવત્તું થયું હોય તે ચાલે, પરંતુ સ્વાધ્યાય-તપ તે રેજેરેજ થવું જ જોઈએ. સ્વાધ્યાય–તપના પાંચ પ્રકારને વિચાર કરીએ તે ખ્યાલ આવશે કે જીવનની પ્રત્યેક ક્ષણે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય–તપના ઊંચા મજલા પર પહોંચવા માટે જ્ઞાની પુરુષોએ પાંચ પાન બતાવ્યાં છે. આ પાંચ સપાનેમાંથી કોઈપણ સોપાન દ્વારા તપ-ભવનના ઊંચા મજલે પહોંચી શકીએ. આ પાંચ સોપાન છે: (૧) વાચના (૨) પૃચ્છના (૩) પર્યટના અથવા પરાવર્તન (૪)
અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. ( વિશાળ ભવનમાં ઠેરઠેર નિસરણીઓ હોય છે, તે વળી કોઈ જગ્યાએ લિફટ પણ હોય છે.
114 ઓજસ દીઠાં આત્મબળનાં