________________
(શ્રી યશોવિજ્યજી ગણિવરની ગુણાનુવાદ-સ્તુતિ
આ. વિજય હેમચંદ્રસૂરિ
(સવૈયા છંદ)
શ્રી જિનશાસનના જ્યોતિર્ધર, પ્રબલ પ્રતાપી, પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય વળી જે, સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રન્થ રચીને જેણે, કીધો મહાશાસન ઉપકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર / ૧ /
ગુર્જર દેશે ગામ “કનોડુ', કર્યું પાવન નિજ જન્મ થકી, સોહાગદે જસમાત, તાત નામે નારાયણ પાસે વળી, નામ હતું જશવન્ત તથા જસ બંધવ પાસિંહ સુખકાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર # ૨
પૂર્વજન્મના શુભ સંસ્કારે, બાલ્ય થકી જે વૈરાગી, પંડિત નય ગુરુવર-ઉપદેશે, સંયમ લેવા લય લાગી, છકી સવિ જંજાળ જગતની, શિશુવયમાં જેથયાઅણગાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર | ૩ |
કાશી જઈ નિજ ગુરુવરની સાથે, નદી ગંગાને તીર રહ્યા, જાપ કર્યો વાર મંત્રનો, તૂઠી શારદ દેવી તહીં, લહી વરદાન બન્યા જે જગમાં, મહાપંડિતને કવિશિરદાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર
+ ૪ો
કાશીમાં ત્રણ વર્ષ રહ્યા ને, ચાર વર્ષ આગ્રામાં વાસ, ભટ્ટાચાર્ય કને ન્યાયાદિ, દર્શનનો કીધો અભ્યાસ, ચિન્તામણિ-મહાગ્રન્થ તો જેની, જીભે રમતો સાંજ-સવાર, વાચકવર એ જસ-ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર || પી